logo

સ્ત્રી કેળવણી – કાલ, આજ અને આવતીકાલ


સારાંશ

સ્ત્રી શિક્ષણ કાલ, આજ અને આવતીકાલ એટલે કે ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળનો સમન્વય અને તેમાં સ્ત્રીઓનું યોગદાન. પ્રાચીન કાળમાં સ્ત્રીઓનું ઇતિહાસમાં ગૌરવવતું સ્થાન હતું, ૫રંતુ વિવિઘ આક્રમણો તથા પારસ્પારિક દુશ્મનાવટનો ભોગ બનેલી સ્ત્રીઓની સ્થિતી કથળી ગઇ હતી. વર્તમાન સમયમાં આઘુનિકતાવાદ, ટેકનોલોજીનો ઉ૫યોગ અને નવા વિચારોમાં આંદોલન jeજેને કારણે સ્ત્રીઓનો વિકાસ શકય બન્યો છે. પિતાની આજ્ઞાનું પાલન, પતિ માટેની ફરજો અને વફાદારી સાથે બાળક માટેનું યોગદાન આ બધાની સાથે આર્થિક ઉપાર્જન કરવામાં પણ સહાયરૂપ બને છે. વિશ્વના ભલે કોઇપણ સ્થળે પોતનું આધિપત્ય જમાવેલું હોય પરંતુ તે પોતાના ઘર અને પરિવાર માટે પણ સભાન છે. માત્ર મહિલા દિવસને દિવસે જ નહીં પરંતુ ૩૬૫ દિવસ મહિલાઓના ઉત્થાન માટેના કાર્યક્રમો ઘડાય છે. સ્ત્રી શિક્ષણ દ્વારા સ્ત્રીના સ્થાનમાં આવેલું પરિવર્તન આર્થિક સ્વાવલંબન તરફ પ્રયાણ, આરોગ્ય સુધારણા સ્ત્રીના વ્યક્તિત્વનો વિકાસ, સામાજીક ક્ષેત્રે સ્વીકૃતિ, પોતાના હક્કો વિરોધી સભાનતા આ બધાનો ચોક્કસ ખ્યાલ મેળવી શકે છે. નબળા વિચારોને દૂર કરી પોતાના વ્યક્તિત્વને અંઘકારમય ભૂતકાળની જગ્યાએ ઉjjaજ્જવલ ભવિષ્ય માટે કંડારવું જોઇએ. સ્ત્રીઓએ ભૂતકાળનાં અનુભવોનાં ઉંબરેથી, વર્તમાનને વ્યવસ્થિત કરી ઉજ્જવલ ભવિષ્ય માટે વિકાસાત્મક પગલાં ભરવા જોઇએ.

પ્રસ્તાવના

યા દેવી સર્વ ભુતેષુ શકિત રૂપેણ સંસ્થિતા
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ


સ્ત્રીએ શક્તિ સ્વરૂપ તથા શક્તિનો સ્ત્રોત છે. કોઇપણ કાર્ય કરવા માટે શક્તિની જરૂર પડે છે. સ્ત્રીએ શક્તિનો અખૂટ ભંડાર છે અને એમાં જો શિક્ષણનું માધ્યમ ઉમેરી દઇએ તો દૂધમાં સાંકર ભળી ગઇ હોય એવું લાગે. એરિસ્ટોટલ મુજબ નારીની ઉન્નતિ કે અધોગતિ પર જ રાષ્ટ્રની ઉન્નતિ કે અધોગતિ નિર્ધારિત છે.

આજનો મારો વિષય છે સ્ત્રીઓ કાલ, આજ અને આવતીકાલ એટલે કે ભૂતકાળ,વર્તમાનકાળ અને ભવિષ્યકાળનો સમન્વય અને તેમાં સ્ત્રીઓનું યોગદાન કેવું હતું, છે, અને રહેશે એની ચર્ચા.

પ્રાચીન સમયમાં લોપામુદ્રા, ગાર્ગી અને મૈત્રેયી જેવી વિદુષીઓએ શિક્ષણ પ્રાપ્ત કરી ઇતિહાસમાં ગૌરવવતું સ્થાન પ્રાપ્ત કર્યુ હતું એ સમયમાં અર્ધાંગિનીની સ્વરૂપ ગણાતી નારી માટે કાહેવાતું કે ’’ યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા: " શકિતના સ્ત્રોત તરીકે ગણાતી દરેક સ્ત્રીઓને માનની દ્રષ્ટિએ જોવાતી હતી. દેવી તરીકે પ્રયોજાતી સ્ત્રીઓ માટે શિક્ષણ માટે ઘરમાં જ વ્યવસ્થા કરવામાં આવતી હતી. સાથે સાથે બહેન,માતા, ૫ત્ની તરીકે પોતાના કર્તવ્યો અને ફરજો નિભાવવામાં ૫ણ તે પારંગત હતી, અને જે ૫રં૫રા હજી સુઘી યથાવત છે. ૫રંતુ સમય જતાં વિવિઘ આક્રમણોને કારણે તથા પારસ્પરિક દુશ્મનાવટનો ભોગ બનેલી સ્ત્રીઓને ખૂબ જ ભોગવવાનું આવ્યું તેથી તેનું ક્ષેત્ર ચાર દિવાલો વચ્ચે સિમિત થઇ ગયું આથી, અબળા બનેલી સ્ત્રીઓ માટે દૂઘપીતી કરવાનો રિવાજ, સતીપ્રથા, વિધવાઓ માટેનું બંધન, દહેજપ્રથા, બાળવિવાહ, બહુપત્નીત્વ જેવા અનેક કુરિવાજો પણ સામેલ થઇ ગયા. આવા કુરિવ।જોની સામે ઝઝૂમવાની કોશિશ કરનારી અબળા પુરૂષ પ્રધાન સમાજમાં આર્થિક, સામાજિક, માનસિક, શારીરિક બધી જ રીતે ખરા અર્થમાં અબળા બની ગઇ. શિક્ષણ માત્ર સુખી સમ્પન્ન પરિવારની કન્યાઓને જ શિક્ષણ પ્રાપ્ત થતું હતું. પણ ભવિષ્ય તો નસીબને આધારે જ ઘડાતું. પણ રાણી લક્ષ્મીબાઇ, અહલ્યાબાઇ હોળકર જેવી અનેક નારીઓએ હિંમતભેર સામનો કરી ઇતિહ।સમાં પોત।નું નામ રોશન કર્યું હતું. પરંતુ પોતાના અધિકારો પ્રાપ્ત કરવામાં અસમર્થ રહી હોય એવી સ્ત્રીઓનું તેમનું ભવિષ્ય અંધકારમય બની ગયું હતું. સમાજમા સ્ત્રીઓ માટે બંધનરૂપ કાયદાઓ ઘડાયા. બાળપણમાં પોતના પિતાના બંધનમાં યુવાનીમાં પતિના બંધનમાં અને વૃદ્ધાસ્થામાં પુત્રના બંધનમાં જ જિંદગી પૂરી થઇ જતી. પુરૂષોના સમકક્ષ ન થઇ જાય એટલા માટે અને પુરૂષોનું આધિપત્ય જળવાઇ રહે એ હેતુસર અનેકાનેક કાયદાઓ ઘડાયા. ગૌરિવ્રતો, કડવાચોથના વ્રતો અને ઉપવાસો આદિ કે જેના કારણે સારો પતિ પ્રાપ્ત કરી શકાય, એવી ખોટી માન્યતાઓ, લગ્નમાં સપ્તપદીનાં સાત વચનો, ઋતુચક્રમાં પાળવામાં આવતાં નિયમો આદિ વસ્તુઓ દ્વારા અપાતું બંધન નારીની માનસિકતા(સાઇકોલોજી)ને પુરૂષો કરતાં ઓછપનો અનુભવ કરાવતી હતી. એ સિવાય જૈવિક (બાયોલોજીકલ) ( Differences ) પણ અને શારીરિક, માનસિક બંધનની સાથે ધ।ર્મિક બંધન પણ નડતું હતું. ધ।ર્મિકતાના આધારે ઉભા કરેલાં ષડયંત્રમાં કહેવાતું કે સ્ત્રીઓ તથા પશુઓ આ બંને માર ખાવાને લાયક છે. આવી ખોટી માન્યતાઓ તથા ભ્રામક ખ્યાલો વચ્ચે સ્ત્રીઓ જ કચડાઇ ગઇ હતી પરંતુ, કોઇ વેદ કે ઉપનિષદમાં આવા ભ્રામક વિચારો કે ખોટી માન્યતાઓનો કોઇ ઉલ્લેખ નથી.

પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે. પાશ્ચાત્ય સંસ્કૃતિની અસર વિજ્ઞાન તથા ટેકનોલોજીનો ઉપયોગ નવ વિચારોનું આંદોલન આદિને કરણે આજે સ્ત્રીઓએ વિકાસ તરફ પ્રથમ પગલું માંડ્યું છે. શિક્ષણની વાત કરીએ તો રાજા રામ મોહનરાયે જૂના કુરિવજોને દૂર કરવાના પ્રયત્ન કર્યા અને મહાત્મા ગાંધીએ બુનિયાદી શિક્ષણમાં કન્યાઓને માટે મફત શિક્ષણ અપાવવાની વાત કરી. સ્ત્રી શિક્ષણ દ્વારા સ્ત્રીના સ્થાનમાં આવેલું પરિવર્તન, આર્થિક સ્વાવલંબન તરફ પ્રયાણ, આરોગ્ય સુધારણા, સ્ત્રીના વ્યક્તિત્વનો વિકાસ, સામાજીક ક્ષેત્રે સ્વીકૃતિ, પોતાના હક્કો વિરોધી સભાનતા આ બધાનો ચોક્કસ ખ્યાલ મેળવી શકે છે. આજની સ્ત્રીઓની સ્થિતિ જોઇએ તો હકારાત્મક વિકાસ તરફનું પ્રયાણ છે. આજ શિક્ષણના માધ્યમ દ્વારા કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સનું ચન્દ્ર ઉપર પ્રયાણ એ વિકાસાત્મક પાસું છે. સ્ત્રીસશકિતકરણની નવી વિભાવનાને આધારે સ્ત્રીઓ પુરૂષોની સમોવડી બનવા પાત્ર થઇ ગઇ છે. જૂના રૂઢિગત વિચારોને પાર કરી, બંધનોને તોડી સ્વતંત્રતનો શ્વાસ લઇ નારીને આખા વિશ્વને મુઠ્ઠીમાં લઇ લેવાની ઝંખના છે. પ્રાથમિક યોગ્ય નોકરી મેળવી સ્વન। વિકાસની સાથે પરિવારને પણ આર્થિક વિકાસ કરવામાં સહાયરૂપ બને છે. આજના પરિવેશમાં સ્ત્રીઓના જીવન ધોરણમાં અને તેને કારણે પરિવારના રહેણી કરણીમાં ધરખમ ફેરફારો થયા છે. એક સફળ પુરૂષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. ‘નારી તુ ના હારી’ એવા કથન દ્વારા સિદ્ધ કરી શકાય કે એવું કોઇ ક્ષેત્ર નથી કે જેમાં નારીઓ પોતાના કર્તવ્યો અને ફરજો પૂરી કરવામાં પણ સ્ત્રીઓ પાછળ રહી નથી. પિતાની આજ્ઞાનું પાલન, પતિ માટેની ફરજો અને વફાદારી સાથે બાળક માટેનું યોગદાન આ બધાની સાથે આર્થિક ઉપાર્જન કરવામાં પણ સહાયરૂપ બને છે. પોતાને આપેલા જે કાર્યો, છે તેને તે નિષ્ઠાપૂર્વક નિભાવે છે. તેના સકારાત્મક પ્રયત્નો દ્વારા માત્ર સ્વનો વિકાસ કર્યા સિવાય પરિવારનો, સમાજનો અને સમગ્ર દેશનો વિકાસ કરવા તત્પર રહે છે. વિશ્વના ખૂણે ખૂણે તેણે પોતાનું નામ રોશન કર્યુ હોય છતાં પણ તે પોતાના પરિવાર અને પરિવારનાં પ્રશ્નો માટે તે સભાન છે. પ્રતિભા પાટિલ હોય કે સાનિયા મિર્ઝા આવા અગણિત નામોથી આપણે વાકેફ છીએ, પરંતુ દરેક સ્ત્રીઓ પોતાને અપાયેલી જવાબદારીઓને ઉત્તમ રીતે નિભાવવાની કોશિષ કરે છે.

'' ગૃહિણી ગૃહમ ઉચ્ચતે '' અર્થાત ગૃહિણીથી જ ઘર બને છે. વિશ્વના ભલે કોઇપણ સ્થળે પોતાનું આધિપત્ય જમાવેલું હોય પરંતુ તે પોતાના ઘર અને પરિવાર માટે પણ સભાન છે. નારી એક મહાશક્તિ છે. એનામાં ગુણોનો ભંડાર છે. એને ખીલવો તો કલ્યાણપંથે જવાય. કુતૂહલવ્રુત્તિ, લાગણી, ભાવનાની ભીનાશ, ઝીણવટ, સંચયવ્રુત્તિ, સ્વયમ સ્ફુરણા, બાળ સહજવૃતિ આદિ ગુણોને શિક્ષણના માઘ્યમ દ્વારા એવી રીતે વિકસાવી શકાય કે તેનો વિકાસ ઉર્ઘ્વગામી બને.

The hand which rocks the cradle rules on the world એટલે “ જે કર ઝૂલાવે પારણું તે જગ પર શાસન કરે.” છેલ્લા દસ વર્ષોનો અભ્યાસ કરીએ તો ખ્યાલ આવે કે કન્યા કેળવણીનું પ્રમાણ વધી ગયું છે અને અન્ય રાજ્યોની સાપેક્ષમાં ગુજરાતમાં કન્યા કેળવણીનું પ્રમાણ ખૂબજ છે. કન્યાઓનું શિક્ષણ સ્તર નિમ્ન છે, એટલે હજી પણ રૂઢિગત પરમ્પરાઓ તથા માન્યતાઓમાં ત્યાંના ગ્રામ વિસ્તારો જીવી રહ્યા છે. દહેજપ્રથા, સતીપ્રથાઓ જેવા કુરિવાજો ઓછેવત્તે અંશે હજી પણ છે. ટેકનોલોજીનો વિકાસ આધુનિક્તાનો પ્રભાવ, પાશ્ચાત્ય સંસ્કૃતિની અસર હેઠળ સ્ત્રીઓએ ઉત્તરોત્તર વિકાસ સાધ્યો છે. સાથે સાથે પુરૂષની સમોવડી બનીને માત્ર પરિવારની જ નહીM પરંતુ નોકરીની જવાબદારી પણ કુશળતાપૂર્વક નિભાવે છે. આ વાત થઇ છે શહેરી વિસ્તારની પરંતુ, ગ્રામ વિસ્તારોની કન્યાઓને શિક્ષણ આપવા, હોંશિયારી તથા આવડતનો સમન્વય સ્થાપવા સાથે જ તેમના આંતરિક ગુણોનો વિકાસ કરવા માટે ભારત સરકાર કટિબધ્ધ બની છે. સાક્ષરતા અભિયાન તથા કન્યા કેળવણી જેવી યોજનાઓ અંતર્ગત સ્ત્રી શિક્ષણને એક નવું જ સ્વરૂપ પ્રાપ્ત થયું છે. આર્થિક ઉપાર્જનનાં હેતુસર ગ્રુહઉધોગોને પણ વિકસાવવામાં આવ્યા છે. માત્ર મહિલા દિવસને દિવસે જ નહી પરંતુ ૩૬૫ દિવસ મહિલાઓના ઉત્થાન માટેન કાર્યક્રમો ઘડાય છે.

સ્ત્રી – સશક્તિકરણની વિભાવના અંતર્ગત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. શ્રીમતી તાયા ઝિન્કીન અનુસાર ‘’ ભારતમાં નારી મુક્તિની પ્રક્રિયા ગામડા સુધી પ્રસારણ પામી છે. સ્ત્રીશિક્ષણ, સામાજીક કાયદા અને આજીવિકાની તકોએ સ્ત્રીસશકિતકરણ દ્વારા સ્ત્રીના સ્થાનમાં ૫રિવર્તન લાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. સામાન્ય પ્રવાહ, વાણિજ્યપ્રવાહ તથા વિજ્ઞાનપ્રવાહનાં સ્નાતક કે અનુસ્નાતક્ની ડિગ્રી પ્રાપ્ત કરવા સિવાય તે હોમસાયન્સ ઇન્ટિરીયર ડેકોરેશન, જ્વેલરી ડિઝાઇનીંગ, હોટલ મેનેજમેન્ટ, ફેશન ડિઝાઇનીંગ વગેરે ક્ષેત્રોમાં વિકાસ કરી શકે છે. સાથે અભિનય, સાહિત્ય, સંગીત, કલા, નૃત્ય, રાજનીતિ આદિક્ષેત્રોમાં પોતનું યોગદાન આપ્યું છે. પતિને સહકાર આપવામાં અથવા બાળકનું ભવિષ્ય બનાવવા તે હરહંમેશ તત્પર રહે છે. સાથે જ પોતાના પતિ તરફથી તથા પરિવારના અન્ય સભ્યોનો સાથ મળી જાય તો એમ કહેવામાં જરાય વાંધો નથી કે, ‘’ એક સફળ સ્ત્રીની સફળતા પાછળ એક પુરૂષનો હાથ હોય છે.’’ પ્રા.આર.એમ.દાસે ‘ વુમન ઇન મનુ એન્ડ હીઝ સેવન કોમેન્ટેટર્સ ‘ માં કહયુ છે કે, ‘’ ૫ત્નીએ સમૃઘ્ઘિની દેવી છે. ૫ત્ની વિનાના ઘરમાં સુખની છોળો ઉડતી હોય તો ૫ણ વ્યર્થ છે.’’ ઘણી બધી સ્ત્રીઓ વિકાસના પંથે આગળ ચાલી છે. સિક્કાની બે બાજુ હોય તેમ કેટલીક સ્ત્રીઓ જે જૂના રૂઢિગત વિચારોના વમળમાંથી બહાર આવી નથી તે હજી સુધી પુરૂષનાં હાથની કઠપૂતળી બનીને રહી છે. એટલે જો આવતી કાલને સુધારવી હોય તો સ્ત્રીઓએ યોગ્ય નિર્ણય લેવો જ પડે અને તે માત્રને માત્ર શિક્ષણ દ્વારા જ સિધ્ધ થઇ શકે છે.

ભારત એ ધર્મ પ્રધાન દેશ છે. સંસ્કૃતિ પ્રધાન દેશ છે. ધર્મ અને સંસ્કૃતિની આડમાં રહીને પોતાનો વિકાસ કરવો એ સ્ત્રીઓને માટે શક્ય નથી એવા નબળા વિચારોને દૂર કરી પોતાના વ્યકિતત્વ ને અંધકારમય ભૂતકાળની જગ્યાએ ઉજ્જવલ ભવિષ્ય માટે કંડારવું જોઇએ, અને ધાર્મિક્તા અને સંસ્કૃતિની સાથે ચાલવું હોય તો અન્ય દેશોની ઘાર્મિકતા તથા સંસ્કુતિના સારા નરસાનો ભેદ પારખતા શીખવું પડશે, એટલે કે જે સદ્દગુણો છે તેનો સરવાળો કરવો અને જે દુર્ગુણો છે તેની બાદબાકી કરી પોતાના જીવનમાં તેને વણી લેવી તે શિક્ષણ દ્વારા જ શક્ય બને છે.

આવતી કાલ માટે ભૂતકાળની ભૂલોને ભૂલી, વર્તમાનને વ્યવસ્થિત કરી, ભવિષ્યને ભાખીને એ માર્ગે વિકાસ કરવો જોઇએ. એના માટે યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત કરવું પડે, યોગ્ય નિર્ણયો લેવા પડે. સ્વાર્થ અને અહંકાર આડંબરને બદલે સદ્દગુણોનો વિકાસ કરવો જોઇએ. 'અલસસ્ય કુતો વિદ્યા' અર્થાત આળસુઓને વિધ્યા ક્યાંથી હોય? એટલે કે આળસવૃત્તિ હોય એને દૂર કરી દુનિયા સાથે કદમ થી કદમ મિલાવવું જોઇએ. વિકાસમાં બાધારુપ બનતી જે તે બાબતોને દૂર કરવી જોઇએ. અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. એ માની લેવું જોઇએ.

ભારતના ભાવિ સમાજના ઘડતર માટે, નિર્માણ માટે નારીનું શિક્ષણ એક આવશ્યક બાબત છે. વસ્તીશાસ્ત્રીય દ્રષ્ટીએ આપણે કેવા ભાવિ સમાજનું નિર્માણ કરવા ઇચ્છીએ છીએ તેનો વિચાર કરતાં પહેલાં સ્ત્રીઓને લગતી જે તે બાબતો લક્ષમાં લેતા કુટુંબ, ધર્મ, રાજય, લગ્ન, શિક્ષણ, સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોમાં સ્ત્રીની પરિસ્થિતિ તેમજ સ્ત્રીના વિચારો, આશા, આક્રોશ વિશેની જાણકારી મેળવવી જરૂરી છે.

સ્ત્રી માટે સમાનતાનો અર્થ એ છે કે- સમાજમાં તેના અવાજને પુરૂષના અવાજ જેટલુMM જ પ્રાધાન્ય મળે અને તેના વિચાર, વાણીની અભિવ્યક્તિ શક્ય બને. સ્ત્રીઓએ માત્ર પોતાના ભાવિ માટે લડવાનું નથી પરંતુ તેઓ જે સમાજનો ભાગ છે તે સમાજના ભાવિ માટે લડવાનું છે. સ્ત્રીઓએ રાજકીય, સામાજિક, આર્થિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક વગેરે તમામ ક્ષેત્રોની પ્રક્રિયામાં ભાગ લેવાનો છે તે બાબતને ધ્યાનમાં રાખવું. વિક્સિત નારીએ પોતાના વ્યક્તિત્વને ઊંચુ લઈ જઇને રાષ્ટ્રીય સમૃદ્ધિના વિકાસમાં કેટલો ફાળો આપી શકે તેનો અભ્યાસ કરવો.

ભવિષ્યની આગાહી કરીએ તો જે વેગથી સ્ત્રીઓનો સકારાત્મક વિકાસ થઇ રહ્યો છે તેનો પ્રવેગ હજી વધશે કેમકે, આ વિકાસ ઉત્ક્રાંતિ જેવી સક્રીય પ્રક્રિયા છે અને તે વિકાસ શૃંખલા છે. સ્ત્રીનું દરેક ક્ષેત્રોમાં યોગદાન વધી રહયું છે, એક પ્રતિભાશાળી સ્ત્રીના હેઠળ હજારો સ્ત્રીઓ બોધપાઠ શીખી રહી છે. આજે ૨૧ મી સદીમાં કમ્પ્યૂટર, મોબઇલ, સેટેલાઇટ, ઇન્ટરનેટના કારણે પ્રત્યાયન અતિશય સરળ બન્યું છે. આમ વિકાસ પ્રક્રિયા આંખના પલકારામાં શક્ય બનતી લાગે છે. મહિલા દિવસના ઉપક્રમે વર્તમાનપત્રોમાં ૧૦૦ જેટલી પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતી સ્ત્રીઓના નામ તથા તેમના ક્ષેત્રોની માહિતી અપાઇ હતી, પરંતુ ભવિષ્યમાં આ આંકડો વધી જશે અને સમય એવો આવશે કે પુરૂષ અને સ્ત્રી વચ્ચેનો ભેદ ભૂંસાઇ જશે.

ઉપસંહાર :

આ પરથી ખ્યાલ મેળવી શકાય છે કે સ્ત્રીઓએ ભૂતકાળના અનુભવોનાં ઊંબરેથી વર્તમાનને વ્યવસ્થિત જીવી, ઉજ્જવલ ભવિષ્ય માટે વિકાસાત્મક પગલાં ભરવા જોઇએ અને અવિરત ચાલતી શિક્ષણ પ્રક્રિયામાં સ્વના વિકાસ સાથે સમાજનો, દેશનો, તેમજ વિશ્વના વિકાસ સાથે પોતાના પ્રભાવશાળી વ્યક્તિત્વની છાપ છોડી જવી જોઈએ.

સંદર્ભ સાહિત્ય ::

  1. દેસાઇ. ડી. (૨૦૦૦). ‘ નારી ! તારી શકિત પિછાન.’ અમદાવાદ: ગુર્જર રત્નકાર્યાલય.
  2. દોશી, ટીના (૨૦૦૨). ‘ પ્રાચીન કાળમાં સ્ત્રી.’ અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય.
  3. રાવલ, એન. (૨૦૧૧). ‘ કેળવણીની તાત્વિક અને સમાજ શાસ્ત્રીય આઘાર શિલાઓ.’અમદાવાદ: નિરવ પ્રકાશન.
  4. શર્મા, આર. ‘ મહિલા જાગરણનો ઉદેશય.’ યુગ નિર્માણ યોજના.
  5. શર્મા, આર. ‘ નારી જાગરણ અભિયાન.’ યુગ નિર્માણ

*************************************************** 

જલદા એફ. વોરા
અધ્યાપક
શ્રી. આઇ. જે. પટેલ બી.એડ કોલેજ, મોગરી.
મો. ૯૪૨૬૩ ૩૬૪૮૬
ઇ-મેઇલ: jaldafvora@yahoo.com

Previousindexnext
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel
Home  |  Archive  |  Advisory Committee  |  Contact us