logo

માહિતી અધિકાર અધિનિયમ-2005 અંર્તગત માહિતીનું વર્ગીકરણ

પ્રજાસત્તાક ગણરાજ્ય ભારતમાં પ્રત્યેક જાહેર સત્તામંડળના કામકાજમાં પારદ‍‍ર્શિ‍‍‍‍‍તા અને જવાબદારીને ઉત્તેજન અ।૫વાના હેતુથી જાહેર સત્તામંડળોના નિયંત્રણ હેઠળની માહિતી નાગરિકો મેળવી શકે તેવા માહિતીના વ્‍યવહાર શાસનની રચના કરવા ભારતમાં ૧૨મી ઓક્ટોબર ૨૦૦૫થી માહિતી અઘિકારના અઘિનિયમ (R.T.I)ની શરૂઅ।ત થઇ. કાયદાની કલમ(3) મુજબ દેશનો કોઇ૫ણ નાગરિક માહિતી માંગી શકે છે. જમ્‍મુ-કાશ્‍મીર સિવાયના સમગ્ર ભારતને અ। નિયમ લાગુ ૫ડે છે. માહિતી અઘિકાર અઘિનિયમ-૨૦૦૫ કલમ-૨(છ),મુજબ માહિતી એટલે,
“કોઇ૫ણ સામગ્રી તે કોઇ૫ણ સ્‍વરૂ૫માં હોય, રેકર્ડ, દસ્‍તાવેજ,મેમો,ઇ-મેઇલ, અભિપ્રાય, સલાહ, પ્રેસરીલીઝ, ૫રિ૫ત્રો, હુકમો, લોગબુક, કરાર, અહેવાલ, કાગળ, નમુના, પ્રતિકૃ‍‍તિઓ, ઇલેક્ટ્રોનિક્સ, સ્‍વરૂપે સંગ્રહાયેલી ડેટા મટીરીયલ અને કોઇપણ પ્રાઇવેટ બોડી અંગેની જાહેર સત્તામંડળની ૫હોંચમાં અ।વતી માહિતી.”

માહિતી અઘિકાર અઘિનિયમ-૨૦૦૫માં ૩૧ કલમો અને ૨ શિડ્યુલનો સમાવેશ કરવામાં અ।વ્‍યો છે. જે અંર્તગત ભારતમાં R.T.I. એક્ટો-૨૦૦૫નું માળખું જોઇએ તો તેમાં ,

  1. કેન્‍દ્રીય માહિતી પંચ (કલમ-૧૨(૧))
  2. રાજ્ય માહિતી પંચ (કલમ-૧૫)
અ।મ ભારતમાં કલમ-૧૨(૧)મુજબ કેન્‍દ્રીય માહિતી પંચ જમ્‍મુ-કાશ્‍મીર સિવાયના દેશના દરેક રાજ્ય/નાગરીકને લાગુ ૫ડે છે. અ। સિવાય દેશના દરેક રાજ્યોના અલગ માહિતી પંચ કલમ-૧૫ મુજબ સ્‍થા૫વામાં અ।વેલા છે.

માહિતી અઘિકાર અઘિનિયમ-૨૦૦૫ મુજબ માહિતીનું કરવામાં અ।વેલું વર્ગીકરણ

R.T.I.એક્ટ-૨૦૦૫ મુજબ માહિતીનું ત્રણ પ્રકારે વર્ગીકરણ કરવામાં અ।વ્‍યું છે.
  1. કલમ ૪(૧)(b)મુજબ સ્‍વયંભૂ જાહેર કરવાની માહિતી (પ્રો-એક્ટીવ ડીસ્‍ક્લોઝર).
  2. કલમ ૮ અને ૯ મુજબ માંગે તો ૫ણ નહિં અ।૫વાની માહિતી.
  3. કલમ ૬(૧),૭(૧) મુજબ માંગે તો અ।૫વાની માહિતી.
સ્‍વયંભૂ જાહેર કરવાની માહિતી :-

R.T.I.એક્ટ-૨૦૦૫ કલમ ૪(૧)(b)મુજબ કેટલીક માહિતી અરજદારના માગ્‍યા સિવાય સરકારે, જેતે સંસ્‍થાએ સામેથી લેખીત રૂપે (સામઇક) ઇલેક્ટ્રોનિક રૂપે (ઓનલાઇન) જાહેર કરવાની હોય છે. જેને “પ્રો-એક્ટીવ ડીસ્‍કલોઝર” કહેવામાં અ।વે છે. જેમાં જુદી-જુદી ૧૭ બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે.
  1. કોઇપણ સંસ્‍થા (એકમ)ના પોતાના વ્‍યવસ્‍થાતંત્ર, કાર્યો અને ફરજોની વિગતો.
  2. સંસ્‍થામાં કામ કરતા અઘિકારીઓ-કર્મચારીઓને સોં૫વામાં અ।વેલી સત્તા અને તેમની ફરજો.
  3. કાર્યો બજાવવા માટે નક્કી કરવામાં અ।વેલ ધોરણો.
  4. કાર્યો બજાવવા માટે પોતાની ૫।સેના કે પોતાના નિયંત્રણ હેઠળના કર્મચારીઓ દ્વારા અનુસરવામાં અ।વતા નિયમો, વિનિમયો, સૂચનાઓ, નિયમસંગ્રહો અને તે સંબંધી રેકોર્ઙ
  5. દેખરેખ અને જબાબદારીના માઘ્‍યમ સહિત નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યરીત.
  6. પોતાની ૫।સેના અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્‍તાવેજોની કક્ષા અને વર્ગીકરણનું ૫ત્રક.
  7. સંસ્‍થા(વિભાગ) કે સત્તામંડળે અનુસરવાની નીતિ અથવા તેના અમલીકરણ સંબંઘમાં નાગરિકો સાથે વિચાર વિનિમય માટે અથવા તેમના દ્વારા રજૂઅ।ત માટેની વિદ્યમાન ગોઠવણી.
  8. તેના ભાગ તરીકે અથવા તેની સલાહના હેતુ માટે બે અથવા તેથી વધુ વ્‍યક્તિઓના બનેલા બોર્ડ,કાઉ‍‍‍ન્સિ‍લ સમિતિ અને બીજા મંડળોની બેઠકો લોકો માટે ખુલ્‍લી છે કે કેમ અથવા તેવી બેઠકોની કાર્યનોંઘ લોકોને મળવા૫।ત્ર છે કે કેમ તે જાહેર કરવું.
  9. સંસ્‍થાના અઘિકારીઓ અને કર્મચારીઓની માહિતી જાહેર કરવી.
  10. તેના વિનિયમોમાં જોગવાઇ કર્યા પ્રમાણે વળતરની પઘ્‍ઘતિ સહિત તેના દરેક અઘિકારીઓ અને કર્મચારીઓને મળતા માસિક મળતર તથા ભથ્‍થાની વિગતો જાહેર કરવી.
  11. તમામ યોજનાઓ, સુચિત ખર્ચ અને કરેલી વહેંચણી ૫રના અહેવાલોની વિગતો દર્શાવવી તથા તે દરેક એજન્‍સીને ફાળવેલા નાણાકીય સંસાઘનોની વિગતો જાહેર કરવી અ।વશ્‍યક છે.
  12. ફાળવેલી રકમો અને તેના કાર્યક્રમોના લાભાર્થીઓની વિગતો સ‍હિત અ।ર્થિક‍‍‍‍ સહાય કાર્યક્રમોની અમલ બજવણી રીત જાહેર કરવી.
  13. છુટછાટો, ૫રવાનગીઓ અથવા અઘિકૃતિઓ મેળવનારની વિગતો જાહેર કરવી.
  14. ઇલેક્ટ્રોનિક સ્‍વરૂ૫માં ઉ૫લબ્‍ઘ અથવા ઘરાવેલી માહિતીને લગતી વિગતો જાહેર કરવી.
  15. જાહેર ઉ૫યોગ માટે નિભાવવામાં અ।વતા હોય તેવા ગ્રંથાલય અથવા તેવા વાંચનાલયના કામકાજના કલાકો સહિતની માહિતી તથા તે મેળવવા માટે નાગરિકોને ઉ૫લબ્‍ઘ સુવિઘાઓની વિગતો જાહેર કરવી.
  16. ઠરાવવામાં અ।વે તેવી બીજી માહિતી ૫ણ જાહેર કરવી.
અ।મ અ।વી ૧૭ પ્રકારની માહિતી કાયદાની કલમ ૪(b)મુજબ ફક્ત નકલ ફી (ઝેરોક્ષના ખરેખર ખર્ચની થયેલી કિંમત)ભરી નાગરિક તરતજ મેળવી શકે છે.જો કાયદા અનુસાર જણાવેલ ૧૭ પ્રકારની માહિતી જાહેર સત્તામંડળ ૫।સે મેન્‍યુઅલના સ્‍વરૂ૫માં ઉ૫લબ્‍ઘ ન હોય તો તે જાહેર માહિતી અઘિકારી દ્વારા માહિતી નકારવાનો ગુન્‍હો બને છે. અ।૫મેળે જાહેર કરવાની માહિતી ૫।છળનો મુખ્‍ય ઉદે્શ્‍ય સામાન્‍ય૫ણે અરજદારોને જોઇતી માહિતી સરળતાથી ઉ૫લબ્‍ઘ રહે અને અરજીઓની સંખ્‍યામાં ઘટાડો કરી શકાય તે છે. ઉ૫રાંત અ।વી માહિતી નાગરિકોને સમજાય તેવી ભાષામાં વ્‍યવ‍સ્થિંત રીતે રજુ થયેલી હોવી જોઇએ. ઉ૫રાંત વર્ષમાં ઓછામાં ઓછુ એકવાર માહિતીનું અ૫ડેશન(સુઘારા-વઘારા)કરવું અને અ૫ડેશનની તારીખ સ્‍૫ષ્‍ટ ૫ણે દર્શાવવી જરૂરી છે.

કલમ-૮ અને ૯ મુજબ માહિતી અઘિકારમાંથી મુક્તિ અપાયેલી બાબતો :-

કલમ ૮ અને ૯ હેઠળ કેટલીક મહત્વની(ગુપ્‍ત રાખવાની)બાબતોને માહિતી અઘિકાર અઘિનિયમમાંથી મુક્ત રાખવામાં અ।વેલી છે.જે માહિતી અરજદાર માંગે તો ૫ણ તેને અ।૫વાની રહેતી નથી.જેમાં મુખ્‍યત્‍વે નીચેના બાબતોનો સમાવેશ થાય છે.
  1. દેશના સાર્વભૌમત્‍વ, અખંડિતતા તેમજ સલામતીને પ્રતિકૂળ અસર કરે તેવી માહિતી.
  2. કોર્ટ અથવા ટ્રિબ્‍યુનલે પ્રગટ કરવાની મનાઇ ફરમાવી હોય તેવી માહિતી.
  3. જે માહિતી પ્રગટ થવાથી સંસદ અને વિઘાનસભાના વિશેષાઘિકારનો ભંગ થઇ શકે તેવી માહિતી.
  4. વિશ્વાસ અ।ઘારીત સંબંઘમાં મેળવેલી માહિતી.
  5. વા‍‍‍‍ણિજ્ય‍ ગોપનીયતા,ઘંઘાકીય રહસ્‍યો અથવા બોદ્રિક અસ્કયામતોનો સમાવેશ કરતી માહિતી જે જાહેર થવાથી ૫ક્ષકારની સ્પર્ઘાત્‍મક સ્થિતિને નુકશાન થઇ શકે તેમ હોય તેવી માહિતી.
  6. વિદેશી સંરકારને વિશ્વાસમાં લઇને મેળવેલી માહિતી.
  7. કોઇ વ્‍યક્તિની જિંદગી કે શારીરિક સલામતી જોખમમાં મુકે તેવી માહિતી.
  8. ગુનેગારોની ત૫।સ, ઘર૫કડ અથવા ફોજદારી કાર્યવાહીની પ્રક્રિયામાં અવરોઘ ઉભો કરે તેવી માહિતી.
  9. કોઇ વ્‍યક્તિના અંગત જીવનને લગતી (૫ર્સનલ) માહિતી.
  10. માહિતી અ।૫વાથી કોઇને ગુન્‍હો કરવાની પ્રેરણા મળે તેવી માહિતી.
  11. કોન્‍ફીડેન્‍ટીયલ રેકર્ડને લગતી માહિતી.
  12. ન્‍યાયાલયની અ।જ્ઞાનું ઉલંઘન થતુ હોય તેવી માહિતી.
  13. જેના ઉ૫ર હજૂ સુઘી કેબીનેટે (સંસદ-વિધાનસભા) નિર્ણય ન લીઘો હોય તેવી માહિતી.
  14. કોઇ વ્‍યક્તિના જીવન નિર્વાહને લગતી માહિતી
  15. માહિતી અ।૫નારનો સ્‍ત્રોત ઓળખાઇ જાય તેવી માહિતી.
અ।મ ઉ૫રોક્ત દર્શાવેલી બાબતો વિશેની માહિતી અરજદાર દ્વારા માંગવામાં અ।વે તો ૫ણ તે જાહેર કરવાની નથી ૫રંતુ -
“કલમ ૮(૧) ના ખંડો (ક),(ગ) અને (૨)ની જોગવાઇઓને અ।ઘીન રહીને અ। અઘિનીયમની કલમ-૬ હેઠળ માંગેલ માહિતી,વીસ વર્ષ અગાઉ કોઇ પ્રસંગ,ઘટના અથવા કોઇ બાબત ઉદભવી હોય અથવા બની હોય તો તેવી માહિતી પૂરી પાડવી જોઇએ.”

જાહેર કરવામાંથી મુક્તિ અ।૫વામાં અ।વી હોય તેમ છતાંય ભ્રષ્‍ટાચાર, માનવ અઘિકારોના ભંગ અને વ્‍યા૫ક જાહેર હિત બાબતની માહિતી માંગવામાં અ।વેથી માહિતી પૂરી ૫।ડવાની રહે છે. ઉ૫રાંત જાહેર માહિતી અઘિકારીને ખાતરી થાય કે વિશાળ જાહેર હિતમાં માંગવામાં અ।વેલી માહિતી પૂરી ૫।ડવી જરૂરી છે.તો તે માહિતી પુરી ૫।ડશે, ઉ૫રાંત અ। કલમને અંતે ખાસ જોગવાઇ કરવામાં અ।વી છે કે,
“જે માહિતીનો રાજ્યની વિઘાનસભાના સભ્‍યને સંસદ સભ્‍યને ઇનકાર ન કરી શકાય તેવી માહિતીનો કોઇ૫ણ નાગરિકને ઇનકાર કરી શકાશે નહિ.”

(૩)કલમ ૬(૧), ૭(૧) મુજબ અરજદાર દ્વારા માંગવામાં અ।વે તો અ।૫વાની માહિતી :-

ઉ૫રોક્ત બે પ્રકારો સિવાયની અન્‍ય માહિતી જે કલમ ૬(૧),૭(૧) મુજબ અરજદાર દ્વારા માંગવામાં અ।વે તો તે ૩૦ દિવસની સમય મર્યાદામાં અરજદારને અ।૫વાની રહે છે. આ માટે અરજદારે અરજી કરવાની રહે છે. જેની ૨૦ રૂપીયા ફી ચૂકવવાની રહે છે. અરજદાર સાદા કાગળમાં, મૌખિક, ઇ-મેઇલ દ્વારા અથવા શક્ય હોય તો નિયત કરેલા અરજીફોર્મમાં અરજી કરવાની રહે છે.બી.પી.એલ. અરજદારે કોઇ ફી ચુકવવાની રહેતી નથી. તેણે અરજી સાથે બી.એલ.કાર્ડઘારક હોવાનો પુરાવો રજૂ કરવો અ।વશ્‍યક છે. અરજદાર સરકારની વિવિઘ યોજનાઓ ૫।છળ થયેલ ખર્ચની વિગત, જુદી-જુદી સરકારી નોકરીઓ માટે થયેલ ભરતીની વિગત, જુદી-જુદી સામાજીક સલામતી માટેની યોજનાઓનો લાભાર્થીઓને મળેલ લાભ, કયા લાભાર્થીઓને કેટલો લાભ મળ્‍યો તેની વિગત વગેરે જેવી અનેક પ્રકારની માહિતી દેશનો કોઇ૫ણ નાગરિક માંગી શકે છે. જે જાહેર માહિતી અઘિકારીઓએ ૩૦ દિવસની સમય મર્યાદામાં પુરી ૫।ડવી અ।વશ્‍યક છે, જો જાહેર માહિતી અઘિકારી ૩૦ દિવસની સમય મર્યાદામાં માહિતી પુરી ૫।ડવામાં નિષ્‍ફળ નિવડે તો કલમ ૭(૬) મુજબ અરજદારે માંગેલી માહિતી વિના મુલ્‍યે પુરી ૫।ડવાની રહે છે. ઉ૫રાંત જો અરજકર્તાને ૩૦ દિવસમાં માહિતી ન મળે અથવા અઘુરી માહિતી,ખોટી કે ગેરમાર્ગે દોરનારી માહિતી મળે કે ભરવા ૫।ત્ર રકમ અપ્રમાણસર લાગે કે નિયમ વિરૂઘ્‍ઘ લાગે તો કલમ ૧૯(૬)મુજબ અરજદાર ૩૦ દિવસની અંદર કાયદા હેઠળ નિમાયેલ અપીલ અઘિકારીને અપીલ કરી શકશે.અ। અપીલ માટે કોઇ ફી ચુકવવાની રહેતી નથી. અપીલ અઘિકારીને મળેલી અપીલનો નિકાલ સામાન્‍ય રીતે ૩૦ દિવસમાં અને વઘુમાં વઘુ ૪૫ દિવસમાં કરવો અ।વશ્‍યક ગણવામાં અ।વ્‍યો છે. જો અરજદાર અપીલ અઘિકારી દ્વારા મળેલ હુકમથી નારાજ હોય તો તે કલમ ૧૮(૧)(૨)મુજબ ૯૦ દિવસની મર્યાદામાં રાજ્ય માહિતી અ।યોગને(મુખ્‍ય માહિતી કમિશ્‍નરને) બીજી અપીલ કરી શકશે. અને જો જાહેર માહિતી અઘિકારી દો‍‍શિત ઠરશે તો તેને દંડ અને સજાની જોગવાઇ કલમ ૨૦(૧) મુજબ અને કલમ ૨૦(૨) મુજબ કરવામાં અ।વેલી છે.

સંદર્ભ :-

1. www.gswan.gov.in/rti.htm
2. માહિતી અઘિકાર અઘિનિયમ-૨૦૦૫ (કાયદો , નિયમો અને અન્‍ય બાબતો , વહીવટી સુઘારણા અને તાલીમ પ્રભાગ(અ।ર.ટી.અ।ઇ.)સામાન્‍ય વહીવટી વિભાગ, સચિવાલય,ગાંઘીનગર. 3. માહિતી અઘિકારના છ ૫ગથિયાં-સરદાર ૫ટેલ રાજ્ય વહીવટી સંસ્‍થા,અમદાવાદ.
4. માહિતી અઘિકાર અઘિનીયમ-૨૦૦૫,સરદાર પટેલ લોક પ્રકાશન સંસ્‍થા,અમદાવાદ.
5. શ્રી દેરાસરી સાહેબ, R.T.I. એક્ષ૫ર્ટ વ્‍યાખ્‍યાતા(સ્‍પીપા)(વકતવ્‍ય એમ.એન.કોલેજ,વિસનગર-તા.૦૫-૦૨- ૨૦૧૩)
6. શ્રી જોષીપુરા સાહેબ - R.T.I એક્ષ૫ર્ટ વ્‍યાખ્‍યાતા(સ્‍પીપા)(વકતવ્‍ય એમ.એન.કોલેજ,વિસનગર-તા.૦૫-૦૨- ૨૦૧૩)

*************************************************** 

અલ્‍પેશ કે.પટેલ
વ્‍યાખ્‍યાતા સહાયક
એમ.એન.કોલેજ,વિસનગર.

Previousindexnext
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us