logo

ગુજરાત ની આદિજાતિ- ભીલ

ભીલ શબ્દ મૂળ દ્રવિડ ભાષાના બિલ્લુ શબ્દ પર થી ઉતારી આવ્યો છે.ભીલ નો અર્થ બાણ અથવા તલવાર થાય છે. ભીલો પ્રાચીનકાળ થી જ પોતાની પાસે બાણ રાખતા હતા. આ કારણે તેઓ ભીલ નામ થી ઓળખાય છે. આર્યો ના આગમન બાદ તેઓ ની સાથે ના યુદ્ધ ના કારણે તેઓ નો પરાજય થયો હતો.તેથી ભીલ લોકો પહાડી અને જંગલ વિસ્તાર માં ચાલ્યા ગયા હતા.રાજગાદી ના મૂળ અધિકારી તરીકે આજે પણ કેટલાક રાજપૂત રાજ્યો માં રાજ્યાભિષેક કરતી વખતે ભીલ ના અંગુઠા ના લોહી થી રાજા ને પ્રથમ તિલક કરવાનો રીવાજ છે. ગુજરાત ના આદિવાસીઓમાં સૌથી મોટી વસ્તી ભીલો ની છે.તેઓ ડાંગ,ભરુચ ,સુરત પંચમહાલ ,સાબરકાંઠા અને બનાસકાંઠા માં વસે છે. તેઓ માં ખાસ કરી ને ભીલ્ ગરાસીયા,ભીલાલા ધોળી ભીલ,રાવળભીલ,વસાવા,પાવરા,તડવી વગેરે ને ગણાવી શકાય. આમ ભીલો માં ઘણી પેટા જ્ઞાતિઓ જોવા મળે છે. તેઓ ની ભાષા ભીલ્લી છે પરતું તે ભાષા કરતા બોલી તરીકે વધારે ઓળખાવી શકાય. રાજપૂત રાજાઓએ ભીલોને પોતાના લશ્કરમાં ભરતી કરી અને સમય જતા રાજાઓએ ભીલ સ્ત્રીઓ સાથે લગ્નસંબંધ બાંધ્યો આ મિશ્ર સબંધ માંથી ઉભી થયેલી પ્રજા ઉત્તર ગુજરાત માં ભીલ ગરાસીયા અને અથવા તો ભીલાલા તરીકે ઓળખાય છે. મુસ્લિમ શાસન દરમિયાન મુસ્લિમ સૈનિકોએ આદિવાસી ભીલ સ્ત્રીઓં સાથે ના સબંધ માંથી જન્મેલી પ્રજા તડવી ભીલ તરીકે ઓળખાય છે. અન્ય ભીલો ની સરખામણી એ એક જ જગ્યા એ વસનાર વસાવા ભીલ તરીકે ઓળખાયા.

હિંદુ ધર્મ ની અસર હેઠળ અનેક કારણોસર ભીલો પેટા જ્ઞાતિ માં વહેચાય ગયા તેમના માં પુજારી નુ કામ કરનારા રાવલ ભીલ તરીકે ઓળખાયા તો ભાટ નુ કામ કરનારા ઢોલીભીલ તરીકે ઓળખાયા રાઠ પ્રદેશ માંથી આવેલા રાઠવા અને પવાગઢ માંથી રાજાએ હાંકી કાઢેલા પાવરા ના નામ થી ઓળખાયા આવા અનેક કારણોસર પેટા જ્ઞાતિ ઓ એકબીજા સાથે લગ્ન વ્યવહાર રાખતી નથી ખાનપાન પણ કેટલાક નિયમો પાળે છે. ભીલો સામાન્ય રીતે રંગે કાળા અને ઘઉંવર્ણા કે ગોરા હોય છે શરીરે મજબુત બાંધા ના અને કસાયેલા શરીર વાળા હોય છે તેમજ સંતોષી હોય છે. તેઓ હમેશા પોતાની સાથે તીરકામઠું રાખે છે તેઓનો મુખ્ય વ્યવ્શય ખેતી નો છે.તેઓ સ્થિર ખેતી કરતાં ફરતી ખેતી અને જંગલી પેદાશો ઉપર વધારે આધાર રાખે છે .શિકાર કરવા માછલા પકડવા ફળફળાદી એકઠા કરવા ,જંગલ માંથી લાકડા વીણવા જંગલ માં મજુરી કરવા જવું એ તેઓ ના પુરક વ્યવસાય છે . તેઓ બાણવિદ્યા માં પારંગત અને નિપુણ હોય છે .ધાર્યું નિશાન તાકવાની તેઓ ની કળા ખુબજ જાણીતી છે નદી ના સામા કાંઠે પાણી ફસાયેલા પોતાના મિત્રોને બાણ થી રોટલા પોહ્ચાડવાની તેઓની કળા જાણીતી છે.

  • ખોરાક :
  • તેઓ નો મુખ્ય ખોરાક અડદ અને મકાઈ છે ખોરાક માં ઘી –દૂધ હોતા નથી પણ છાસ નો ઉપયોગ વધારે હોય છે. ઘર આંગણે વાવેલા શાકભાજી વધારે વાપરે છે દારૂ નુ સેવન ઓછું થયું છે. પણ માંસાહાર કરે છે વર્ષના અંતે ખોરાક ની અછત હોય છે ત્યારે ફાળો નો ઉપયોગ વધારે કરે છે.

  • રહેઠાણ ::
  • તેઓની વસવાટ પદ્ધતી માં પોતાના ખેતરો માં અલગ જુપડા બાંધી ને રેહવાની છે તેઓ ના ઝુંપડા વાંસ ,વળી અને કમઠા ના બનેલા હોય છે તેઓ ભગત ,રાવળ અને ઢોલી નુ વિશેષ મન જાળવે છે. ભગત તેમને કુદરતી આફત માંથી બચાવે છે અને રાવળ તેમના પુજારી તરીકે અને ભાટ તેમના ચારણ નુ કામ કરે છે.

  • લગ્ન ::
  • લગ્ન ની પસંદગી બે રીતે થાય છે એકમાં માં-બાપ ની પસંદગી થી લગ્ન થાય છે .બાળલગ્ન નો રીવાજ નથી.ઘરજમાઈ ,પુનઃલગ્ન વિધવા વિવાહ ,નાતરું પ્રેમલગ્ન વગેરે રીવાજો પ્રચલિત છે. નાસી ને લગ્ન કરવાની પ્રથા ને ઉદાળી જવું કે ગીહી જવું કહે છે. મરણ પછી અગ્નિસંસ્કાર કરવામાં આવે છે નાના બાળક ને દાટવામાં આવે છે અને સામાન્ય રીતે મરણ બાદ તરત જ શ્રાદ્ધ વિધિ કરાતી નથી. પરતું અમુક સમય પછી કુલ માં જેટલા મરણ થયા હોય તેમનું સામુહિક શ્રાદ્ધ કરવામાં આવે છે જેને કાયટુ અથવા પરજણ કહે છે.

  • ધર્મ અને રીત્તીરીવાજો ::
  • ભીલ આદિવાસીઓ ભૂતપ્રેત અને મેલીવિદ્યા માં મને છે. કાળકા,ઝાંપડી,સુદાઈ ઘોડાજો,ઓખા ,વાઘદેવ, કચુમ્ભર વગેરે દેવી દેવતાઓ ને માને છે.તેમના દેવતાઓ ના કોઈ મંદિર બાંધવામાં આવતા નથી .ગામ ની ભ્ગોલે કે કોઈ મોટા વ્રુક્ષ્ ની નીચે દેવતાઓની સ્થાપના કરવામાં આવેછે.માનતા માં દેવતાઓને માટીના ઘોડાઓ ચડાવવાનો રિવાઝ છે.પોતાના વીર પૂર્વજો ની યાદ માં પાળિયા મુકવાનો રિવાજ છે.તેઓના જીવન માં તહેવારો નુ ઘણું મહત્વ છે. હોળી દિવાળી ,દશેરા અખાત્રીજ પીઠોરો નુ ઘણું મહત્વ છે. હોળી સૌથી મોટો અને મુખ્ય તહેવાર છે. નૃત્ય તેમના જીવન નુ હાર્દ છે. ખુલ્લી તલવાર સાથે થતા તેમના નૃત્યો તેમની કળા નો ઉત્કૃષ્ઠ નમુનો છે.

આમ,ભીલ આદિજાતિ ગુજરાત ની એક આગવી આદિજાતિ છે જે તેમની વિશિષ્ટતાઓના કારણે આજે પણ લોકપ્રિય છે.અને પોતાની સંસ્કૃતિ નુ જતન કરી ને ભારતની અજોડ સંસ્કૃતિ અને વિવિધતા માં એકતા ની ભાવના માં વધારો કરે છે.



સંદર્ભ ::

  1. ભીલો નો ઇતિહાસ: ડો. અંબાલાલ પટેલ
  2. ભારતીય જનજાતીયા – સંરચના એવમ વિકાસ : ડો.હરિશ્વન્દ્ર ઉપ્રેતી.
  3. ભારત કે આદિવાસી: પ્રોફ. મધુસુદન ત્રિપાઠી.


PROF.S.H.SANCHALA(sociology)
GOVT.ARTS AND COMMMERCE COLLEGE KADOLI

TA-HIMMATNAGAR DI-SABARKANTHA

Previousindexnext
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |   Powered By : Knowledge Consortium of Gujarat

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us