logo

“અંદાજપત્ર” એક પરીચય

અંદાજપત્રને આપણે અંગ્રેજીમાં ‘બજેટ’ (Budget) તરીકે ઓળખીયે છીએ. બજેટ શબ્દ મધ્યયુના “Bowgett” શબ્દ પરથી ઉતરી આવ્યો છે. જ્યારે “Bowgette” શબ્દ મધ્યયુગના ફ્રેંચ શબ્દ “Bowgette” શબ્દ પરથી ઉતરી આવ્યો છે. જેનો અર્થથાય છે “ચામડા નો થેલો” આમ બજેટનો અર્થ હિસાબો અને દસ્તાવેજો રાખવાની નાનીથેલી કે બેગ કે પછી વર્તમાન સંદર્ભમાં જોઇએતો “બ્રીફકેસ” એવો થાય છે. નાણામંત્રી સંસદમા એમની “બ્રીફકેસ” માં જે હિસાબો અને દસ્તાવેજો લઈને આવે તની રજુઆત કરે એટલે અંદાજપત્ર/બજેટ ની રજુઆત. એક જમાનામાં ‘અંદાજપત્ર’ વત્તાઓછા અંશે માત્ર સરકારની નાણાકીય વિધાન ગણાતુ હતુ પરંતુ વર્તમાન સમયે એથી પણ કઈંક વિષેશ મહત્વ ધરાવતુ નાણાકીય વિધાન છે. તેમ માનવામા આવે છે.

કોઇપણ વ્યક્તિ કુટુંબ મહાનગર પાલિકા, રાજ્ય હોય કે દેશ તેણે પોતાના આવક ખર્ચ વચ્ચે ચોક્કસ સુમેળ સાધવા અંદાજપત્ર બનાવવુ અનીવાર્ય બની રહે છે. જો વ્યવસ્થિત અંદાજપત્ર બનાવેલ હોય તો ચોક્કસ લક્ષ્યાંકો સારી રીતે પાર પાડી શકાયછે. કુટુંબ ના અંદાજપત્ર અને સરકાર ના અંદાજપત્ર વચ્ચે એક મહત્વનો તફાવત જોવા મળે છે. જેમ કે કુંટુબ ના અંદાજપત્રમાં પ્રથમ આવક ની ગણતરી કરવામા આવેછે. અને તે પછીજ ખર્ચ નક્કી કરય છે. જ્યારે દેશ ના અંદાજપત્રમાં સૌ પ્રથમ ખર્ચ નુ અયોજન કરી તે ખર્ચ ને પહોંચી વળવા માટે ક્યાંક્યાં સ્ત્રોતો માંથી કેટલી આવક મેળવવી તે નક્કી કરવામાં આવેછે.

જુદા-જુદા અંદાજપત્ર :-

ભારતમાં સામાન્ય અંદાજપત્ર અને રેલ્વે અંદાજપત્ર બે મહત્વના અંદાજપત્ર દર વર્ષે જાહેર કરવામાં આવેછે. ભારતીય રેલ્વે દેશ નુ સૌથી મોતુ જાહેર એકમ હોવા ઉપરાંત અનેક લોકોને રોજગારી પુરી પાડતું દેશ ના મોટા વર્ગ ને સ્પર્શતુ સરકારી સાહસ છે. તેથી ભારતમાં સામાન્ય રીતે 26 મી ફેબ્રુઆરીએ દર વર્ષે રેલ્વે અંદાજપત્ર દેશ ના રેલ્વે મંત્રી દ્વારા જાહેર કરવામાં આવેછે. ભારતમાં રેલ્વે શીવાય નુ બીજુ અને સૌથી મહત્વનુ અંદાજપત્ર જે સામાન્ય અંદાજપત્ર તરીકે ઓળખવામાં આવેછે. દેશનું સામાન્ય અંદાજપત્ર દેશ નાં નાંણામંત્રી દ્વારા ફેબ્રુઆરીનાં છેલ્લા દિવસે એટલેકે 28 કે 29મી ફેબ્રુઆરીનાં રોજ 11-00 કલાકે લોકસભામાં રજુ કરવામાં આવેછે. સામાન્ય અંદાજપત્રમાં વર્ષ દરમિયાન સરકાર જુદા-જુદા વિભાગો જેવા કે ખેતી,ઉધોગ,સંરક્ષણ,શિક્ષણ,ગ્રામીણ વિકાસ, ઉર્જા, સિંચાઈ, શહેરી વિકાસ, ખેડુતો માટે, બાળકો માટે.પરિવહન વગેરે વિવિધ ક્ષેત્રો પાછળ ફાળવાયેલા નાણાંની વિગત ઉપરાંત વર્ષ દરમિયાન આ ખર્ચ ને પહોંચી વળવા મટે આવક કયાં-કયાં ક્ષેત્રો માંથી આવશે અને કેટલી આવશે તેની અંદાજીત વિગતો રજુ કરવામાં આવેછે. જેમકે સરકારી જાહેર સાહસો ની આવક, પ્રત્યક્ષ – પરોક્ષ કરવેરા, એક્સાઈઝ ડ્યુટી, દિસઈન્વેસ્ટમેન્ટ , જાહેર દેવુ ઉપરાંત કુલ આવક અને કુલ ખર્ચ ઉપરાંત બજેટની કુલ નાણાંકીય ખાધનો અંદાજ રજુ કરવામાં આવેછે. અને વર્ષ દરમિયાન ના અંદાજપત્રીય લક્ષ્યાંકો ને પહોંચી વળવા પુરતા પ્રયત્નો કરવામાં આવેછે.

ભારત દેશનાં સામાન્ય અંદાજપત્ર સીવાય વિવિધ રાજ્યો નાં અંદાજપત્રો પણ ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડીયામાં લગભગ 20 થી 23 ફેબ્રુઆરી આસપાસ રજુ કરવામાં આવેછે. આ સીવાય દેશ ની બધીજ મહાનગર પાલિકાઓના અંદાજપત્રો પણ રાજ્ય સરકારના અંદાજપત્રોના બે ત્રણ દિવસ અગાઉ રજુ કરવામા આવેછે. જેમા વાર્ષિક આવક- ખર્ચની અંદાજપત્રીય વિગતો દર્શાવવામાં આવે છે.

અર્થ/વ્યાખ્યા:-

અંદાજપત્ર ગતવર્ષ દરમિયાન સરકારે કરેલી પ્રવૃત્તી ઓની આવક-જાવકની નાણાકીંય આવક-ખર્ચ અંગેના અંદાજોની માહીતી આપેછે.

ભારતના સામાન્ય અંદાજપત્રની શરૂઆત/ઈતિહાસ

  • ભારતમાં સૌપ્રથમ સામાન્ય અંદાજપત્ર બ્રીટીશ તાજ હેઠળની ઈસ્ટ ઈન્ડીયા કંપનીએ 1857 નાં વિપ્લવમાં સફળતા મેળવ્યા પછી 1860 ની 7મી એપ્રિલે જેમ્સ વિલ્સને રજુ કર્યુ હતુ.
  • 2001 પહેલા દેશનું સામાન્ય અંદાજપત્ર સાંજે 5 કલાકે રજુ કરવાની પરંપરા હતી. જે 1924માં બેસિલ બ્લેકેટ્ટે શરૂ કરી હતી. આમ કરવા પાછળ ના બે ઉદ્દેશો હતા કે બ્રીટીશ સમય ભારતીય સમય કરતા લગભગ 5 થી 6 કલાક પાછલ હોવાથી ભારતમાં સાંજે 5 વાગે બજેટ રજુ થાય ત્યારે બ્રીટીશ સાંસદ “હાઉસ ઓફ કોમન્સ” ની બેઠક ચાલુ હોય છે અને બીજો ઉદ્દેશ બજેટના દસ્તાવેજો તૈયાર કરતા કર્મચારીઓને બજેટ ની જાહેરાતના એક અઠવાડીયા અગાઉ નાણાંમંત્રાલયમાં એકાંતવાસમાં રાખવામાં આવેછે. જેઓ સતત કામ કરવાથી અને બજેટની આગળની રાત્રે રાતભર કામ કરવાથી તેમને પુરતો આરામ મળી રહે તે માટે સાંજે 5 કલાકે અંદાજપત્ર રજુ કરવાની પરંપરા 2000 સુધી ચાલી આવી હતી.
  • પાકિસ્તાન ના પ્રથમ વડાપ્રધાન બનેલા લિયાકત અલી ખાને ભારત-પાકિસ્તાન ના ભાગલા પહેલા 1846-47 માં વચગાળાનું અંદાજપત્ર રજુ કર્યુ હતુ.જેમા તેમણે ઉચ્ચ હિંન્દુ શ્રીમંત વર્ગ પર આવકવેરો નાખ્યો હતો. જેનો જોરદાર વિરોધ થયો હતો. આ નિર્ણયે પણ ભારત- પકિસ્તાનના ભાગલામાં મહત્વનો ભાગ ભજવ્યો છે.
  • આઝાદ ભારત નુ પ્રથમ સામાન્ય અંદાજપત્ર આઝાદી પછી 26મી નવેમ્બર 1947ના દિવસે સાંજે 5 વાગે આર.કે.શણમુખમ રેડ્ડી એ રજુ કર્યુ હતુ.
  • 1948-49માં આર.કે.શણમુખમ રેડ્ડી એ સૌ પ્રથમ વચગાળાનુ અંદાજપત્ર એવો શબ્દ પ્રયોગ કર્યો હતો.ત્યારબાદ વચગાળાના અંદાજપત્ર નો અર્થ ટુંકાગાળાનુ અંદાજપત્ર એવો થવા લાગ્યો.
  • પ્રજાસત્તાક ભારત નુ સૌપ્રથમ અંદાજપત્ર 28મી ફેબ્રુઆરી 1950 ના રોજ જહોન મથાઈ એ રજુ કર્યુ હતુ. પ્રજાસત્તાક ભારતના પ્રથમ સામાન્ય અંદાજપત્ર ની રજુઆત સમયે આયોજનપંચ અસ્તિત્વ માં આવ્યુ હતુ.જહોન મથાઈ પહેલા રેલ્વે પ્રધાન હતા પછી નાણાંપ્રધાન બનેલા.
  • સી.ડી.દેશમુખે નાણાંમંત્રી તરીકે 1950 થી 1956 સુધી સામાન્ય અંદાજપત્ર રજુ કર્યા હતા.સી.ડી. દેશમુખે નાણાંપ્રધાન બન્યા તે પહેલા 11 ઓગસ્ટ 1943 થી 30 જુન 1949 સુધી રીઝર્વ બેંક ઓફ ઈંડિયા ના ગવર્નર તરીકે ની જવાબદારી સંભાળી હતી. આમ સી.ડી.દેશમુખ નાણાંમંત્રી તરીકે અંદાજપત્ર રજુ કરનાર રીઝર્વ બેંક ના પહેલા ગવર્નર હતા.
  • 1955-56થી સામાન્ય અંદાજપત્ર ના દસ્તાવેજો હિન્દી ભાષામા પણ તૈયાર કરવાની શરૂઆત થઈ. પહેલા માત્ર અંગ્રેજી ભાષામાંજ દસ્તાવેજો તૈયાર કરવામાં આવતા હતા.
  • ભારતમાં સૌથી વધુ સામાન્ય અંદાજપત્ર રજુ કરનાર નાણાંમંત્રી તરીકે ગુજરાત ના પનોતા પુત્ર એવા શ્રી મોરારજી દેસાઈ એ 10 વાર સામાન્ય અંદાજપત્રો રજુ કર્યા છે. જેમા ચીન સાથેના યુધ્ધ પછી નું 1962-63નું અને 1967-68નું એમ બે વચગાળાના અંદાજપત્રો નો પણ સમાવેશ થાય છે.
  • 1965-66ના અંદાજપત્રમાં સૌ પ્રથમ વખત કાળાનાણાંની જાહેરાત ની યોજના અમલમાં મુકવામાં આવી.
  • મોરારજી દેસાઈ દેશ ના એકમાત્ર એવા નાણાંમત્રી છે જેમણે પોતાના જન્મદિને 2અંદાજપત્ર રજુ કર્યા છે.જેમાં 29મી ફેબ્રુઆરી વર્ષ 1964 અને વર્ષ 1968 ના અંદાજપત્ર નો સમાવેશ થાય છે.
  • 1973-74 ના અંદાજપત્ર ની ગણના ભારતના ઈતીહાસમાં કાળા અંદાજપત્ર તરીકે થાય છે કારણકે એ વર્ષ અંદાજપત્રીય ખાધ રૂ. 550/- કરોડની થઈ હતી.
  • કુલ ત્રણવાર દેશ ના વડાપ્રધાન દ્વારા સામાન્ય અંદાજપત્રો રજુ થયા છે જેમ કે, (1)1958-59માં જવાહરલાલ નહેરુએ (2)1970-71માં ઈન્દીરા ગાંધીએ (3)1987-88માં રાજીવ ગાંધીએ જોગાનુ જોગ ત્રણેય એકજ કુંટુબના વારસદારો પિતા-પુત્રી અને માતા પુત્ર છે.
  • ઈન્દીરા ગાંધી દેશના એક માત્ર મહિલા છે જેમણે દેશનું સામાન્ય અંદાજપત્ર રજુ કર્યુ હોય.
  • “પ્રણવ મુખર્જી” પ્રથમ એવા નાણાં પ્રધાન હતા જેઓ રાજ્યસભાના સભ્ય તરીકે નાણાંખાતાનો હવાલો સંભાળતા હતા તેમણે રાજ્યસભાના સભ્ય અને નાણાંપ્રધાન તરીકે 1982 થી 1985 દરમિયાન ચાર અંદાજપત્રો રજુ કર્યા હતા. ત્યારબાદ તેમણે 2010 થી 2012 સુધી લોકસભાના સભ્ય અને નાણાંપ્રધાન તરીકે ત્રણ અંદાજપત્રો રજુ કર્યા હતા. આમ તમણે કુલ સાત અંદાજપત્રો રજુ કર્યા છે.
  • વર્તમાન વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહે વર્ષ- 1991-92માં નાણાંમંત્રી તરીકે રજુ કરેલ અંદાજપત્ર ભારતીય રાજ્યસભાના સભ્ય સામાન્ય અંદાજપત્ર ના ઈતિહાસ નુ ક્રાંતિકારી અંદાજપત્ર ગણાય છે. જેમા તમણે આર્થિક ક્ષેત્રે ઉદાર વલણ અપનાવ્યું. જેના પરીણામે આજે ભારત આર્થિક ક્ષેત્રે વિશ્વના ટોપ-10 દેશો માં સ્થાન ધરાવેછે અને ભારતની આર્થિક સ્થિતી મજબુત બની છે.
  • 2001 પહેલાનુ કેન્દ્રનુ સમાન્ય અંદાજપત્ર સાંજે 5-00 કલાકે રજુ થતું હતું પરંતુ 2001માં એન.ડી.એ.સરકારમાં અટ્લબિહારી બાજપેઈ વડાપ્રધાન હતા ત્યારે નાણાં મંત્રી યશવંત સિંહા એ સવારે 11 કલાકે અંદાજપત્ર રજુ કરી એક વર્ષો જુની પરંપરા બદલી હતી.
  • કોર્પોરેટ ટેક્ષ સૌપ્રથમ વખત રાજીવગાંધીએ 1987 ના અંદાજપત્રમાં નાખ્યો હતો. આ તેમનુ એક્માત્ર અંદાજપત્ર હતુ જે તેમણે વડાપ્રધાન તરીકે રજુ કર્યુ હતુ. કોર્પોરેટટેક્સ વર્તમાનસમયે સરકારને સૌથી વધુ આવક આપતો કરછે.
  • 1991-92માં વચગાળાનું અંદાજપત્ર અને અતિંમ અંદાજપત્ર બે જુદાજુદા પક્ષો ના નાણાંમંત્રીઓએ રજુ કર્યા હતા જેમકે વચગાળાનું અંદાજપત્ર ભાજપના યશવંતસિંહાએ અને અંતિમ કોંગ્રેસના ડૉ.મનમોહન સિંહે રજુ કર્યુ હતુ.જેમા આર્થિક ક્ષેત્રે ભારતે ઉદાર વલણ અપનાવ્યુ હતું.
  • 1994માં નાણાંમંત્રી ડૉ.મનમોહન સિંહે પ્રથમ વખત સર્વિસ ટેક્સ દાખલ કર્યો હતો.
  • વર્ષ 2012-13નું સામાન્ય અંદાજપત્ર પાંચ રાજ્યો ની વિધાનસભાની ચુંટણી ને કારણે ફેબ્રુઆરીના અંતીમ દિવસ ને બદલે ચુંટણી ના પરિણામ પછી 16 માર્ચે રજુ કર્યુ હતુ.
  • તા.28મી ફેબ્રુઆરી 2013 ના ગુરુવારે વર્ષ 2013-14 નુ6 82મું સામાન્ય અંદાજપત્ર રજુ થયું. જે દેશ ના નાણાં મંત્રી પી. ચિદમ્બરમે રજુ કર્યુ.
  • પી.ચિદમ્બરમ સામાન્ય અંદાજપત્ર રજુ કરનારા દેશના 28મા નાણાંપ્રધાન છે કે જેમણે સૌથી વધુ 10 સામાન્ય અંદાજપત્રરજુ કરનાર નાણાંમંત્રી મોરારજી દેસાઈ પછી બીજા ક્રમે 8 સામાન્ય અંદાજપત્રો રજુ કર્યા છે.
  • દેશનુ સૌ પ્રથમ સામાન્ય અંદાજપત્ર કુલ 193 કરોડ રૂપિયાનુ હતુ. જ્યારે 82મુ અંદાજપત્ર કુલ રૂપિયા 16,65,297/- કરોડ નુ અંદાજવામાં આવ્યુ છે.
  • ભારતીય અંદાજપત્ર પર સૌથી અસરકર્તા જો કોઈ પરીબળ હોય તો તે દેશની ચુંટણી છે. દેશમા આવતી ચુંટણીઓની સીધી અસર દેશ ના સામાન્ય, રેલ્વે કે કોઈપણ રાજ્યના અંદાજપત્ર પર સ્પષ્ટ જોવા મળતી હોય છે.

*************************************************** 

અલ્પેશ કે. પટેલ

Previousindexnext
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us