logo

ભારતીય અર્થતંત્ર અને વિદેશ વેપારનીતિ

પ્રસ્તાવના:- ::

ભારતીય અર્થવ્યવસ્થાએ આથિક વિકાસ અને વૃધ્ધિ ક્ષેત્રે ઘણી પ્રગતિ કરી છે. એ વાતમાં કોઇ શંકા નથી. વર્ષ ૨૦૦૧નાં પ્રથમ દશકામાં ભારતદેશના પ્રદર્શનમાં વૈશ્વિક સ્થિતિ અને કયુમ્લેટીવ અસરો, સુવ્યવસ્થિત અસરોથી ૧૯૯૧ નાં વર્ષમાં શરૂ થયેલા, જેમાં ઘણો સુધારો જોવા આવ્યો હતો. દશમી પંચવર્ષિય યોજના (૨૦૦૨-૦૩ થી ૨૦૦૬-૦૭) માં ૮ ટકાનાં વિકાસદરનો લક્ષાંક રાખવામાં આવ્યો હતો અને ૭.૮ ટકાનો સરેરાશ વૃધ્ધિદર પ્રાપ્ત કરવામાં આવ્યો હતો. અગિયારમી યોજના (૨૦૦૭-૦૮ થી ૨૦૧૧-૧૨) માં ૯ ટકાનો વૃધ્ધિદર આંકવામાં આવ્યો હતો. જે વર્ષ ૨૦૧૧-૧૨નાં કેન્દ્ર સરકારનાં અંદાજ પ્રમાણે હાલમાં ૮.૫ ટકા છે. છતા પણ અગિયામી યોજનામાં ૮.૨ ટકા જેટલો વિકાસદર આકવામાં આવ્યો છે.

નવેમ્બર,૨૦૦૨ નાં એક અહેવાલ પ્રમાણે જેમા ભારત,બ્રાઝિલ,રશિયા,ચીન,(નવા વિકસતા બજારોનાં સંગઠન બી.આર.આઇ.સી)માં સમાવેશ કરવામાં આવ્યો છે. આ મુજબ વર્ષ ૨૦૩૫ના વર્ષ પહેલા કુલ સ્વદેશી પેદાશમાં જી-૮ ના દેશો કરતા અગ્રક્રમ પ્રાપ્ત કરવાનો છે. જે તેમણે આ હકારાત્મક મુલ્યાંકનનો અહેસાસ કરાવ્યો છે. આજના સમયમાં ભારત હવે ઉચ્ચ વૃધ્ધિ જાળવવામાના રાહ પર ઉચ્ચ દરોએ ઘરેલુ બચતો, ઉચ્ચગુણવંતાવાળી ઉધોગ સાહસિકતા અને સંચાલના ગુણો ધરાવવાની સાથે પ્રોડકટીવીટી(ઉત્પાદન) પરની એક સમાન આર્થિક સુધારાની અસરો દર્શાવતો દેશ છે, જે વિશ્વનાં બજારોમાં ભારતનું સ્થાન મજબુત થઇ રહ્યુ છે. જે વિદેશ વેપારમાં થયેલો વધારો અને પરિવર્તન મહત્વનો ભાગ ભજવે છે.

વિવિધ ક્ષેત્રોમાં વિદેશ વેપાર :-

(૧) કૃષિક્ષેત્રે :-

ખેતિપેદાશનાં ઉત્પાદનમાં વિશ્વભરમાં ભારત બીજા સ્થાને છે, કૃષિ અને તેનો સંબધિત વન (forestry), વૃક્ષછેદન (logging), અને માછીમારી (fishing), જેવા ક્ષેત્રોનું જી.ડી.પી (G.D.P) અને રોજગારીમાં મહત્વનું સ્થાન ધરાવે છે. જી.ડી.પી (G.D.P) માં તેના યોગદાનમાં ઘટાડો થવા છતા હજી આ ક્ષેત્ર સૌથી મોટું આર્થિકક્ષેત્ર છે. જે નીચેના કોષ્ટક પરથી જોઇ શકાય છે.

ભારતમાં ખેતીક્ષેત્રનો G.D.P માં હિસ્સો (%)માં

(આકડા પૃર્ણાંકમાં લીધેલા છે)
સ્ત્રોત : યોજના ૩૧ ડિસેમ્બર ૨૦૧૧

ઉપરોક્ત કોષ્ટક પરથી જોઇ શકાય છે કે G.D.P માં કૃષિક્ષેત્રનો ફાળો ઘટતો જોવા મળે છે છતા કુલ કામમાં રોકાયેલા માણસોના ૬૦% આ ક્ષેત્રમાં રોજગારી મેળવે છે. તેમજ ભારતનાં સમગ્ર સામાજીક-આર્થિક વિકાસમાં તેની મહત્વની ભુમિકા છે. ભારતમાં હરિતક્રાંતિ (Green Revolution in India) નાં સમયથી સિંચાઇ, ટેકનોલોજી, આઘુનિકકૃષિ પધ્ધતિઓનો ઉપયોગ અને કૃષિધિરાણ તથા સબસીડીની જોગવાઇને કારણે તમામ પાકની નીપજ (Yield) માં વધારો થયો છે. જો કે આંતરરાષ્ટ્રિય દેશોની સરખામણી કરતા માલુમ પડે છે કે વૈશ્વિક સૌથી ઉંચી નીપજના ૩૦% થી ૫૦% નીપજ ભારતની સરેરાશ નીપજ રહી છે.

(૨) ઉધોગ અને સેવાક્ષેત્ર :-

જી.ડી.પી ના ૨૭.૬ ટકા ઔધોગીક ખાતા અને કુલ કર્મચારીના ૧૭ ટકા છે. જો કે, ઔધોગીક કામદારના એક તૃતિયાંશ ભાગ સાધારણ ઘરગથ્થું ઉત્પાદનમાં રોકાયેલ છે. ફેકટરીમાંથી પેદાશની રીતે વિશ્વભરમાં ભારત ૧૬ માં સ્થાને છે.

આર્થિક સુધારાને કારણે વિદેશી સ્પર્ધા આવી, જે ચોક્કસ જાહેરક્ષેત્રના ઉધોગોનાં ખાનગીકરણમાં પરિણમી એવા ક્ષેત્રો ખોલ્યા કે ફક્ત જાહેરક્ષેત્રો પૂરતા મર્યાદિત હતા, અને ફાસ્ટમુવીંગ કન્ઝયમર ગુડ્ઝ (Consumer goods) નાં ઉત્પાદનમાં વિસ્તરણમાં પરિણામ્યા હતા. કૃષિ બાદ રોજગારીનો સૌથી મોટો સ્ત્રોત ટેક્સટાઇલ (Textile) (કાપડ) ઉત્પાદન છે. અને ઉત્પાદકીય ઉત્પાદનોના ૨૬ ટકા જેટલો હિસ્સો ધરાવે છે, તિરૂપૂરે (Tirupur) હોઝિયરી,ગુંથેલા તૈયાર વસ્ત્રો રોજ-બરોજના વસ્ત્રો અને રમતના વસ્ત્રોનાં અગ્રણી સ્ત્રોત તરીકેની વૈશ્વિક ખ્યાતિ પ્રાપ્ત કરી છે. મુંબઇનાં ધારાવી (Dharavi) એ ચામડાની પેદાશો માટે ખ્યાતિ પ્રાપ્ત કરી છે. ટાટા મોટર્સ (Tata Motors), નેનો(Nano) તરીકે વિશ્વની સૌથી સસ્તી કાર બનાવી છે.

સેવાક્ષેત્રે વિશ્વભરમાં ભારત ૧૫ માં સ્થાને છે. તે ૨૩ ટકા શ્રમિકોને રોજગારી પૂરી પાડે છે. અને તે ઝડપથી વિકસતુ જાય છે, તેનો વૃધ્ધિદર ૧૯૯૧-૨૦૦૦ માં ૭.૫% હતો. તેમજ જી.ડી.પી (G.D.P)માં સૌથી વધું હિસ્સો ધરાવે છે. જે ભારતમાં ઝડપથી વિકસતા ઉધોગક્ષેત્ર અને સેવાક્ષેત્રનો જી.ડી.પી (G.D.P)માં હિસ્સો વધતો જતો જોવા મળે છે. જે આ પ્રમાણે છે.

ભારતમાં ઉધોગક્ષેત્ર અને સેવાક્ષેત્રનો જી.ડી.પી (G.D.P)માં હિસ્સો(%)માં

(આકડા પૃર્ણાંકમાં લીધેલા છે)
સ્ત્રોત : યોજના ૩૧ ડિસેમ્બર ૨૦૧૧

ઉપરોક્ત કોષ્ટક પરથી જોઇ શકાય છે કે G.D.P માં ઉધોગક્ષેત્રે ૨૦૦૦-૦૧ ને બાદ કરતા બન્ને ક્ષેત્રેનો ફાળો સતત વધતો જતો જોવા મળે છે.

સેવાક્ષેત્રનાં સંદર્ભમાં ઇન્ફર્મેશન ટેક્નોલોજી (Information technology), તેમજ તેને આધારીત સેવાઓ (Information technology enabled services), બિઝનેસ પ્રોસેસ આઉટ સોર્સીંગ (Business process out sourcing), સૌથી ઝડપથી વિકસતા ક્ષેત્રોમાંના એક છે. ભારતની સેવા નિકાસ અને જે લોકો પોતાના કામકાજોને આઉટસોર્સ કરવા ઈચ્છતા હતા, તેવા વિદેશી વપરાશકારોની વધેલી માંગ તરફે મેળ ખાતો હતો. ભારતમનાં આઈ ટી ઉધોગે (India’s IT industry) તેના ચુકવણી સંતુલન (Balance of Payments) માં નોધપાત્ર ફાળો આપ્યો છે. જેમ કે, આઈ ટી નો G.D.P માં ફાળો ૨૦૦૫-૦૬ માં ૪.૫% જેટલો હતો. તે વઘીને ૨૦૦૮-૦૯ માં G.D.P નાં ૭% જેટલો જોવા મળેલ છે. જે વધતા જતા વિદેશ વેપાર અને નીતિને આભારી છે.

આવક અને ખર્ચ (રોજગારી અને વપરાશ) :-

દૈનિક ૧ ડોલર (પી.પી.પી) ની ગરીબી રેખા હેઠળ જીવતી વસ્તીની ટકાવારી હાલમાં ગ્રામીણ વિસ્તારમાં માસિક ૩૫૬.૩૫ રૂપિયા (આશરે દૈનિક ૭.૪ ડોલર)ની છે. ૨૦૦૫ ના અનુસાર ૮૫.૭ % જેટલી વસ્તી દૈનિક ૨.૫૦ ડોલર(પીપીપી) કરતા ઓછા વેતનમાં જીવતી હતી. જે ૧૯૮૧ના ૯૨.૫ ટકા કરતા નીચી છે. ૨૦૦૫માં ૨૪.૩ ટકા જેટલી વસ્તી ૧ ડોલર કરતા પણ ઓછી કમાણી કરતા હતા, જે ૧૯૮૧ માં ૪૨.૧ ટકા કરતા ઓછી છે. તેની ૪૧.૫ ટકા વસ્તી દૈનિક ૧.૨૫ ડોલરના નવા આંતર રાષ્ટ્રિય ગરીબી રેખા હેઠળ જીવતી હતી, જે ૧૯૮૧નાં ૫૯.૮ ટકા કરતા ઓછી છે. વિશ્વ બેન્ક વધુમાં એવો અંદાજ મુકે છે કે વિશ્વનાં ગરીબોમાંથી એક તૃતિયાંશ ભાગ ભારતમાં રહે છે.

૧૯૭૦નાં સમયગાળા દરમિયાન હરિયાળી ક્રાંતિ (Green Revolution) ને કારણે ભારતમાં ગરીબી માં નોધપ્રાત્ર ઘટાણો થયો હોવાથી સત્તાવાર આંકડાઓનાં અંદાજ અનુસાર ૨૭.૫ ટકા ભારતીયો ૨૦૦૪-૦૫ માં દૈનિક ૧ ડોલર(પીપીપી સાધારણ શરતોમાં આશરે ૧૦ રૂપિયા) રાષ્ટ્રિય ગરીબીરેખા હેઠળ જીવતા હતા. સરકારે ગરીબીને દુર કરવા માટે આયોજન (Planning) થી જ વિવિધ યોજનાઓ અમલમાં મુકી હતી, જેને થોડી સફળતા મળી હતી. ૨૦૦૫માં ઓગષ્ટમાં ભારતીય સંસદે (Indian Parliament) રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી બિલ પસાર કર્યું હતુ, જે ખર્ચ અને આવરણ તરીકે આ પ્રકારનું સૌથી મોટું હતું. જે ભારતનાં ૬૦૦ જિલ્લાઓમાંથી ૨૦૦ દરેક ગ્રામિણ નિવાસીઓને ૧૦૦ દિવસની ઓછામાં ઓછી વેતન રોજગારી પુરી પાડવાનું વચન આપે છે. આર્થિક સુધારાઓએ ગરીબીમાં ઘટાડો કર્યો છે કે નહિ તે પ્રશ્નાર્થે કોઇ પણ સ્પષ્ટ જવાબો પેદા કર્યા વિના ચર્ચાઓને વેગ આપ્યો હતો. અને તેણે વધુ આર્થિક સુધારાઓ અને વિદેશનીતિ પર પણ રાજકિય દબાણ કર્યું હતું જેમા ખાસ કરીને શ્રમિકોની સંખ્યામાં ઘટાડા અને કૃષિસહાય પર કાપ મુકવાનાં મુદાનો સામેલ થતો હતો.

વિદેશ વેપારનીતિનું મહત્વ :-

૩૧ ઓગષ્ટ ૨૦૦૪ના રોજ કેન્દ્રના વાણિજ્ય મંત્રીશ્રી કમલનાથે ૨૦૦૪ થી ૨૦૦૯નાં પાચં વર્ષ માટે ભારતની વિદેશનીતિ જાહેર કરી હતી, જેનો મુખ્ય ઉદેશ ભારતના નગર અને ગામડાઓમાં રોજગારીનાં સર્જનનો વેગ વધારી વિશ્વનાં કુલ વેપારમાં ભારતનો હિસ્સો ૨૦૦૯-૧૦ સુધીમાં ૧.૫% કરવાનો હતો, અને નિકાસો પ્રતિવર્ષ ૨૬% નાદરે વધે તો જ આ લક્ષ્યાંક સિધ્ધ થઇ શકે તેમ હતો. ૨૦૦૪-૦૯ની નવી વિદેશ વેપારનીતિનો એક અગત્યનો મુદો નિકાસવૃધ્ધિ સાથે રોજગારી સર્જનનો ધ્યેય પણ સિધ્ધ કરવાનો હતો.

Served from India અને Services Exports Promotion Council જેવી સ્કીમને લીધે આંતર રાષ્ટ્રિય બજારમાં ભારત અને “India brand duty free નો લાભ” આ સ્કીમને પરિણામે નિકાસ કારીગરો તેમની કામગીરી સુધારવા પ્રયત્નશીલ બન્યો છે, પરિણામે વૈશ્વિક નિકાસોમાં ભારતનાં હિસ્સામાં થયેલ ફેરફાર નીચે મુજબ નોંધાયો છે.

વૈશ્વિક નિકાસોમાં ભારતનાં હિસ્સામાં થયેલ ફેરફાર(%)માં

સ્ત્રોત : યોજના ૩૧ ડિસેમ્બર ૨૦૧૧

આ આકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે ૨૦૦૧ થી ૨૦૦૫ માં ૦.૧૦% નિકાસમાં વૃધ્ધિ જોવા મળે છે, જેમા આ નીતિનો ફાળો નોંધપાત્ર કહિ શકાય. આયાત-નિકાસની બાબતમાં જોઇએ તો નવી વિદેશ- વેપાર નીતિ દરમિયાન નીચે મુજબનાં ફેરફારો જોવા મળ્યા છે.

સ્ત્રોત : Economic Time. Dt. 27-09-2010

૨૦૦૬-૦૭ થી ૨૦૦૮-૦૯ સુધી આયાત અને નિકાસમાં બન્નેમાં વધારો જોવા મળે છે. જ્યારે ૨૦૦૯-૧૦ના વર્ષમાં આયાત અને નિકાસમાં જે ઘટાડો જોવા મળે છે. જે યુરોપિયન મંદિની અસર જોવા મળી હતી.

ભારતની રાષ્ટ્રિય આવકમાં કાચીગૃહ પેદાશ(G.D.P)ની ટકાવારી તરીકે નિકાસનો ફળો ૨૦૦૬-૦૭ માં ૧૩.૬% હતો, જે ૨૦૦૯-૧૦ના સમયમાં થોડો ઘટીને ૧૩.૨% એટલે કે ૦.૪% નો ઘટાડો જોવા મળે છે, ફરી ૨૦૦૧૦-૧૧માં તેમાં વધારો થતા તે ૧૪.૫% જોવા મળેલ છે. વાણિજ્યમંત્રી ૨૦૦૯ સુધી માં ભારતની નિકાસોને ૩૦૦ અબજ ડોલર સુધી લઇ જવાનો લક્ષ્યાંક નક્કી કરેલ હતો. વર્તમાન પરિસ્થિતિમાં વિકાસશીલ દેશો માટે વિદેશવેપાર આર્થિક વિકાસ માટેનું પ્રથમ સોપાન હોવાછતા વિદેશવેપાર આવા વિકાસશીલ દેશો માટે જોઇએ તેટલા લાભદાયી નીવળ્યો નથી. વિશ્વ નિકાસમાં ભારતનો હિસ્સો હજુ પણ ઓછો જોવા મળે છે, જે વધારવા માટે ઉદારીકરણની નીતિનો યોગ્ય અમલ અને નિકાસકારોને આંતર- માળખાકીય સગવડો પુરી પાડવાની હજુ તાતી જરૂરિયાત છે અને વિદેશવેપારમાં સરકારનો હસ્તક્ષેપ જરૂરી છે. જે ભારતીય અર્થતંત્રને વેગીલું અને ઔધોગિકરણનો વિકાસમાં વિદેશવેપાર નીતિ મહત્વનો ભાગ ભજવે છે.

સંદર્ભસૂચિ::

  1. Economic Survey of India 2007, Policy Brief. OECD
  2. Kelegama, Saman and Parikh, Kirit. Political Economy of Growth and Reforms in South Asia.2000
  3. “ Indian Manufacturers Learn to Compete ” The Economist. February 12,2004
  4. “ India’s Trade policy review by the WTO ” Retrieved – 13-03-2009
  5. “ FDI in India Statistics ” Retrieved – 12-08-2008
  6. યોજના, ૩૧ ડિસેમ્બર ૨૦૧૧.

*************************************************** 

પ્રા. લાલજીભાઇ.પી.પરમાર
અર્થશાસ્ત્ર વિભાગ
સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, કડોલી
તા, . હિંમતનગર .જિ .સાબરકાંઠા
laljiparmar35@gmail.com.

Previousindexnext
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us