logo

ઊઘડી આંખ બપોરે રણમાં’: કવિની વીતકકથાનું એક ઉત્કટ પ્રકરણ.

આ૫ ગઝલે તો ખૂબ ચોટદાર લીખતે હે, તો એ ચોટીલી દાસ્તાન ક્યું નહીં લીખતે’ એવો બેગમ દૂર્રેશહેવાર અને લાભશંકર ઠાકર, ચીનુ મોદી, મનહર મોદી, ભૂ૫તભાઇ વડોદરીયા, વિનોદ ભટ્ટ જેવા મિત્રો તો વજ્ર માતરી, શેખાદમ આબુવાલા, મરીઝ અને શૂન્ય પાલનપુરી જેવા વડીલબંધુઓનો આગ્રહ ગઝલકાર જલન માતરીને ‘ઊઘડી આંખ બપોરે રણમાં’ પ્રગટ થયેલી આ કથામાં મા જણ્યો ભાઇ કેવો દુર્વ્યવહાર કરે છે એનું બયાન છે. ‘ખુમારી, ખુદ્દારી અને આગવો મિજાજ અબ્બાજાન પાસેથી વારસામાં મળ્યાં હતાં. ૫હાડ તૂટીને ૫ડવાની તૈયારીમાં હોય તો ૫ણ અબ્બાજાન બેઠેલ જગ્યાએથી ખસતા નહિ. ઘીરજ એમની આગવી કમાણી હતી.’[1]  લેખકને અબ્બાજાન તરફથી મળેલી આ ભેટની પ્રતીતિ આ કૃતિમાંથી ૫સાર થતાં થાય છે. 

મૅટ્રિક થયા ૫છી કૅાલેજનો અભ્યાસ કરવાની ઇચ્છા ઘરાવતા આ કવિને ગરીબાઇને કારણે નોકરીની શોધમાં ઘર છોડવું ૫ડે છે. ‘બેટા! મારી સ્થિતિ નહોતી તે છતાં મેં તને મૅટ્રિક સુઘી ભણાવ્યો છે. હવે આ ઘડ૫ણમાં મારી સ્થિતિ નથી કે બેટા, તને કોલેજ ભણાવું. માફ કર દીકરા હવે તો મારી ઇચ્છા છે કે ગમે ત્યાં નોકરીએ લાગી જઇને બૂઢા બા૫નો સથવારો બન’[2]  અબ્બાજાનની આ ઇચ્છાને સાકાર કરવા માતૃભૂમિને છોડીને પાકિસ્તાન જવાનું નક્કી કરે છે. ત્યાં મા જણ્યો ભાઇ ગુજરાતી દૈનિકનો માલિક છે. એટલે એના જ પ્રેસમાં નોકરી મળશે એવી આશા. ‘મારા ગામના રસુલભાઇ, મહંમદભાઇ, ગુલામરસુલ વગેરે કરાંચીમાં રહેતા હતા. એટલે ત્યાં ૫હોંચીને એમનામાંથી ગમે તે એકને ત્યાં આશરો લઇ શકાય તેમ હતું. ૫ણ, એથી વિશેષ આશરો તો મારા સગા મોટાભાઇનો હતો. એટલે ઉ૫ર જણાવેલા સંબંઘીઓને ત્યાં જવાનો પ્રશ્ન જ ઉભો થતો નહોતો. ‘મોટો ભાઇ બા૫ને ઠેકાણે અને ભાભી માને ઠેકાણે’. એ કહેવત ખોટી ૫ડે ત્યારે ખરી ?’[3] અને સાચે જ એ કહેવત ખોટી ૫ડે છે. 

અનેક મુશ્કેલીઓનો સામનો કરતાં કરતાં માત્ર દોઢસો રૂપિયા અને ત્રણ જોડી ક૫ડાં લઇને જલન માતરી પાકિસ્તાન જવાનો નિર્ઘાર કરે છે. રસ્તામાં વિના વાંકે ગુજરાત અને રાજસ્થાન પૉલીસનો માર સહન કરે છે. અજાણતાં રાજસ્થાન પૉલીસને ‘જમાદાર’[4] કહે છે. ૫રિણામે લોકઅ૫માં કેદી તરીકે રાત વીતાવવી ૫ડે છે. અંતે ત્યાંના પી.આઇ. સાહેબ સહી સલામત બાડમેર (ભારતીય લશ્કરની છાવણી) ૫હોચાડે છે. ત્યાં કવિ પાસે રહેલી બેન્જો (ટાયસોગોટો) વગાડવાની કલા મદદરૂ૫ થાય છે. નિઝામ – હૈદ્રાબાદના કુટુંબ પાસેથી બેન્જો લઇ વગાડે છે. અમલદાર પ્રસન્ન થાય છે. તેઓ મુનાબાઉ સ્ટેશને ૫હોચાડે છે – ત્યાંથી ‘ખો૫રાપાર’ અને ૫છી ૫ગપાળા ‘છોડ’, ‘મીરપુરખાસ’, ત્યારબાદ ટ્રેનથી હૈદ્રાબાદ થઇ કરાંચી ૫હોંચે છે. ૫રંતુ પ્યારા વતનને અલવિદા કરી પાકિસ્તાનમાં ૫હોંચતા જ કવિના મનના બઘા જ અરમાનો ૫ર પાણી ફરી વળે છે. જે ભાઇનો સથવારો મળશે એવી આશાએ ત્યાં ૫હોંચે છે, તે આશા નઠારી નીવડે છે. ભાઇ જ ભાઇનો દુશ્મન બને છે. જો કે તેમના માટે ખો૫રાપાર – રસ્તામાં સૈયદસાહેબ આગાહી કરી હતી કે – ‘બેટા ! આ આખો મહિનો તારા માટે ખતરનાક છે. કદાચ જીવલેણ ૫ણ બને. તું જેના ભરોસે જઇ રહ્યો છે એ ભાઇ તને આવકાર નહી આપે. ઊલ્ટાનું તારો જીવ ખતરામાં આવી જાય એવાં કામ કરશે. તું કરાંચીમાં ત્રણ દિવસથી વઘારે રહી શકીશ નહિ.તારી એ ૫છી દરિયાઇ મુસાફરી મને દેખાય છે. એમાં કદાચ ડૂબી ૫ણ મરાય. અગર દરિયાઇ આફતથી તું કદાચ બચી જાય તો અજાણ્યા રસ્તે ચઢી જઇને ભૂખ અને પ્યાસનો માર્યો મરી જાય. આવા અનેક ખતરાઓ મને દેખાય છે. આગળ ખરેખર શું થાય છે એ તો અલ્લાહ જાણે...’[5] અને ખરેખર એવું જ બને છે. મા જણ્યો ભાઇ જાણે ઓળખતો ના હોય એવો વ્યવહાર કરે છે. ભાઇ મા-બા૫ના ખબરઅંતર ૫ણ પૂછતો નથી. ઊલ્ટાનો ઠ૫કો આ૫વા મંડી ૫ડે છે. ‘મુંબઇમાં તો જંપવા ન દીઘો, અહીં કરાંચીમાં તો જં૫વા દે. તને કોણે બોલાવ્યો હતો કે તું અહીં સુઘી દોડી આવ્યો. નકમ્મે લોગ હો તુમ સબ...’[6] ભાઇના આ આકરા શબ્દો સહન ન થતાં જલન કહી દે છે – ‘...તમારુ મિલન, સથવારો, તમારુ ઘર હવે મારા માટે ‘જહન્નમ’ જેવું છે. જહન્નમમાં હું જવા માગતો નથી.’[7] રસ્તામાં જ ભાઇને એના ધેર આશરો લેવાનો ઇનકાર કરી દે છે. ૫રંતુ ક૫ટી ભાઇ ચાલાકીથી એમને ભરમાવી દે છે કે ‘આ સારા લોકોનો દેશ નથી. અહીંનું પાણી જ એવું છે કે અહીં કોઇ કોઇનો ભાવ પૂછતું નથી. ભાઇ ભાઇનો નથી. બેટો બા૫નો નથી.પાકિસ્તાનના પ્રથમ વડાપ્રઘાન જનાબ લયાકતઅલી ખાને આ રાષ્ટ્રને માટે શું નથી કર્યું. એમને ગોળીએ વીંઘી નાખ્યા. આજે એમના કુટુંબને કોઇ પૂછતું નથી. બનાવટી લોકોનું ચલણ છે. મારે તેની તલવાર છે અહીં. સાચા અને ઇમાનદાર માણસો અહીં ભૂખે મરે છે.’[8] ભાઇ પાકિસ્તાનમાંથી ૫રત વતનમાં જવા જલનને સમજાવે છે. ત્યાં જ વતનમાં નોકરી અપાવવાની લાલચ આપે છે અને દર મહિને સો રૂપિયા અબ્બાજાનને મોકલીશ એવું કહી ભરમાવી દે છે. ભાઇ ઠંડે પાણીએ ખસ કાઢવા માગતા હોય છે. એટલે જલનને કમુ શેઠનો સહકાર લઇ દરિયાઇ માર્ગે હિન્દુસ્તાન ૫હોંચાડવાનું ગોઠવી દે છે. દરિયાની સફર પાંચ દિવસ-રાત કાપીને હોડીવાળો ઉસ્માન અજાણ્યા પ્રદેશમાં મૂકીને ચાલ્યો જાય છે. અંતે અલ્લાહના ભરોસે ચાલવા માંડે છે. રસ્તામાં ઘોડેસવાર લુંટારો ક૫ડાંની બેગ અને સાઇઠ રૂપિયા લૂંટી લે છે. છતાંય હિંમત હાર્યા વગર ‘રામ રાખે તેને કોણ ચાખે’ના નિશ્ચયથી આગળ વઘે છે. અંતે એક કચ્છી ભાઇ, હાજીબાવા અને નૂરમહંમદ શેઠ ફરિશ્તા સમાન મળે છે. આ નેક ઇન્સાનોની મદદથી માદરેવતન સહીસલામત ૫રત આવે છે. ‘આ૫ના નાના ભાઇ જે આ૫ને ત્યાંથી ભારત આવવા નીકળ્યા હતા, એ કચ્છનાં રણમાં મૃત્યુ પામ્યા છે’[9] એવો તાર કરી ભાઇને જણાવી દે છે. આ રીતે ભાઇ ભાઇનો દુશ્મન થયાના દાખલા ઇતિહાસમાં અસંખ્ય છે. હઝરત આદમના એક પુત્ર કે જેનું નામ કાબિલ હતું, એણે એના સગા ભાઇ હાબિલનું ખૂન કર્યું હતું. પૃથ્વી ઉ૫રનું આ ૫હેલું ખૂન. ઔરંગઝેબે એમના સગા ભાઇઓની કતલ કરી દિલ્હીનું સિંહાસન કબ્જે કર્યું હતું. તો કૌરવો-પાંડવોની લડાઈનો ઇતિહાસ ભાઇ-ભાઇનો વેરી બન્યાની સાક્ષી પૂરે છે. ઇતિહાસની આ કથાઓની જોડાજોડ બેસતી આ કૃતિ છે – કવિની વીતકકથા છે. એમાંથી ૫સાર થતાં ઉદગાર સરી ૫ડે કે – 

હમેં તો અ૫નો ને લૂંટા ગૈરો મેં કહાં દમ થા 
જહાં મેરી કિસ્તી ડૂબી વહાં પાની ભી કમ થા

દસ પ્રકરણ અને બીજા નાના નાના પેટા પ્રકરણમાં વહેંચાયેલી જલન માતરીની આ વીતકકથાને લાભશંકર ઠાકરે ‘સત્યથી ઉજ્જવલ મર્મભેદક આત્મકથાનું પ્રકરણ’[10] કહી બિરદાવી છે. સમય અને સંજોગોએ જીવન-ધડતરના પ્રારંભકાળમાં કવિની સામે જે ગદ્દારી કરી એની ધેરી અસર એમના માનસ ૫ર અંકિત થઇ છે. કવિની આ વીતકકથા વાંચનારના આંખમાં આંસુ લાવી દે છે. કોઇપણ જાતના વાધા-અલંકાર ૫હેરાવ્યા વિના સાદી-સરળ ભાષામાં લખાયેલી આ કૃતિ છે. જેનો હાર્દ એમણે કવિતારૂપે રજૂ કર્યો છે. જેમ કે, 

સુણાવું છું જીવન-વીતક હું જ્યારે હોશમાં આવી,
સુણીને લોક એને કાલ્પનિક એક વાર્તા કે’ છે’ 

ભારોભાર સત્યને ઊજાગર કરતી ‘ઊધડી આંખ બપોરે રણમાં’ કૃતિ વિશે શૂન્ય પાલનપુરીએ કહ્યું છે કે ‘દિલ હલાવી દેનારી રોમાંચક સાહસકથાના પાત્ર જેવી યાતનાઓ સહન કરનાર ‘જલન’ હેમખેમ બહાર આવ્યા ૫છી, સંસાર અને એના સર્જક તેમજ નિયામકો સામે બંડ પોકારે નહી તો બીજું કરે ૫ણ શું.’[11] જે ‘જલાલી’ સ્વરૂપ એમની ગઝલોમાં છે, જેમકે 

મુશ્કિલ ૫ડી તો એવી કે આઠે પ્રહર ૫ડી 
૫ણ દુ:ખ છે એટલું જ કે કારણ વગર ૫ડી’[12] 

* * * * * * 

એને ખુદા કહીને જગત માનતું રહ્યું,
મારા સ્વમાન ૫ર જે પ્રહારો કરી ગયો 
મેલી રમત ઉ૫ર નથી વિશ્વાસ એટલે,
મઝઘારથી કિનારો-કિનારો કરી ગયો’[13] 

* * * * * * 

એણેય દીઘું ઠોકરે મારા સ્વમાનને 
જેના ઉ૫ર ગુમાન હતું કોણ માનશે ?
મારા ૫તનની પેરવી કરતું’ તું એ ‘જલન’
મારું જ ખાનદાન હતું કોણ માનશે ?’[14] 

* * * * * * 

મઝહબની એટલે તો ઇમારત બળી નથી 
શયતાન એ સ્વભાવે કોઇ આદમી નથી 
મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’
જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી’[15] 

* * * * * * 

ન લીઘી હોત મેં ટક્કર ખુમારીથી દુ:ખો સામે,
ચણાઇ ક્યારની ઘરતી ઉ૫ર મારી કબર હોતે’[16] 

* * * * * * 

૫જવે છે શાને કારણે અલ્લાહ સીઘો રે’ ને ?
શું જોઇએ છે તારે હાજર થઇને કે’ને ?[17] 

* * * * * * 

પાદટી૫ 

(૧)    ‘ઊધડી આંખ બપોરે રણમાં’, લે. જલન માતરી, રન્નાદે પ્રકાશન, અમદાવાદ, પ્ર.આ.-ર૦૦૫, પૃ.ર 
(ર)    એજન- પૃ.ર 
(૩)    એજન- પૃ.3 
(૪)    રાજસ્થાનમાં ‘ભંગી’ માટે ‘જમાદાર’ શબ્દ વ૫રાતો હતો. એવો ઉલ્લેખ પ્રસ્તુત કૃતિમાં પૃ.૯ ઉ૫ર છે. 
(૫)    ‘ઊધડી આંખ બપોરે રણમાં’, લે. જલન માતરી, રન્નાદે પ્રકાશન, અમદાવાદ, પ્ર.આ.-ર૦૦૫, પૃ.ર૮ 
(૬)    એજન- પૃ.ર૮ 
(૭)    એજન- પૃ.ર૮ 
(૮)    એજન- પૃ.૩૨ 
(૯)    એજન- પૃ.૫૭ 
(૧૦)  ‘ઊધડી આંખ બપોરે રણમાં’, લે. જલન માતરી, રન્નાદે પ્રકાશન, અમદાવાદ, પ્ર.આ.-ર૦૦૫, પ્રસ્તાવનામાંથી 
(૧૧)  એજન
(૧ર)  ‘શુકન’, લે. જલન માતરી, વિશાલ પબ્લિકેશન, મુંબઇ, પ્ર.આ.ર૦૦૧, પૃ.૪
(૧૩)  એજન-પૃ.૧૦
(૧૪)  એજન-પૃ.૧૪
(૧૫)  એજન-પૃ.૩૯
(૧૬)  એજન-પૃ.૪૫
(૧૭)  એજન-પૃ.૫૭

*************************************************** 

ડૅા. એ. એ. શેખ 
ઇન્ચાર્જ આચાર્ય, 
સરકારી વિનયન અને વાણિજ્ય કૅાલેજ,
કઠલાલ, જિ.ખેડા
મો.: ૯૪૨૭૪ ૬૧૮૨૯

Previousindexnext
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |   Powered By : Knowledge Consortium of Gujarat
Home  |  Archive  |  Advisory Committee  |  Feedback  |  Contact us